ચીનમાં હાહાકાર મચાવનાર આ વાયરસ ચીનમાં 1000 જેટલા લોકોનો જીવ લઈ ચૂક્યો છે. અને હજારો લોકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે. ચીન સિવાયના દેશોમાં પણ આ વાયરસે પગપેસારો કર્યો છે. ભારતમાં કર્ણાટકમાં 140 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જ્યારે ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં 10 જેટલા શંકાસ્પદ કેસ જણાયા હતા. કોરોના વાયરસ સામે ટક્કર ઝીલવા માટે અમદાવાદ જિલ્લામાં 1150 આાંગણવાડીની આશાવર્કર બહેનોને તૈયાર કરવામાં આવી રહી છે.
કોરોના વાયરસ મુદ્દે એલર્ટ
આશાવર્કરોને અપાશે તાલીમ
1150 આશાવર્કરોને તાલી અપાશે
જાગૃતિ માટે અપાશે તાલીમ
ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને લઈને અમદાવાદ તંત્ર સજાગ થયું છે. અમદાવાદની 1150 આશાવર્કરનો તાલીપ આપવાનો નિર્ણય લેવાયો છે.
1150 આશાવર્કરોને તાલીમ આપવામાં આવશે
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 1150 આશાવર્કરોને તાલીમ આપવામાં આવશે. કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે તાલીમ અપાશે. ત્યા બાદ આશાવર્કરો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરશે. કોરોના વાયરસથી બચવાના લોકોને ઉપાય અંગે માહિતીગાર કરાશે.
કોરોનાવાયરસનો હાહાકાર
ચીનમાં કોરોના વાયરસના કારણે શનિવારે 89 લોકોના મોત થયા હતા અને રવિવારે પણ વધુ લોકોના મોત થવાના કારણે મોતનો આંક 910ને પાર કરી ચૂક્યો છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 40505ની પહોંચી છે. હાલ સુધીમાં કુલ 3300 લોકોને કોરોના વાયરસમાં સારવારથી રાહત મળી છે.