ગુજરાત સરકારે આજે 5 સિનિયર IAS અધિકારીઓની બદલી કરીને તેમને વિવિધ પદે મુક્યા હતા અને એક અધિકારીને એડિશનલ ચાર્જ સોંપ્યો હતો. આ અધિકારીઓમાં સૌથી મહત્વની બદલી તરીકે વડોદરા શહેરને નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા હતા. નોંધનીય છે કે 11 ઓગસ્ટે આ બદલીઓ અગાઉ જ VTVGujarati.comએ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે પી સ્વરૂપને મુકવાની સંભાવના છે તેવા સમાચાર પ્રકાશિત કર્યા હતા.
કયા અધિકારીને ક્યાં મુકવામાં આવ્યા?
અનુરાધા મલને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના CEOમાંથી બદલીને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)ના ડાયરેક્ટર જનરલ તરીકે મુકવામાં આવ્યા છે.
કે એમ ભીમજીયાણીને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)ના ડાયરેક્ટર જનરલથી બદલીને સેટલમેન્ટ કમિશનર એન્ડ ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ તરીકે ગાંધીનગર મુકવામાં આવ્યા છે.
વિદેશથી ટ્રેઇનિંગ લઇને પરત ફરેલા શ્રી પી સ્વરૂપને વડોદરા શહેરને નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. નોંધનીય છે કે 11 ઓગસ્ટે આ બદલીઓ અગાઉ જ VTVGujarati.comએ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે પી સ્વરૂપને મુકવાની સંભાવના છે તેવા સમાચાર પ્રકાશિત કર્યા હતા.
એન બી ઉપાધ્યાયને વડોદરા મ્યુનિસિપલ કમિશનર VMCના કમિશનર પદેથી બદલીને કો ઓપરેશન, એનિમલ હસ્બન્ડરી, કાઉ બ્રીડીંગ અને ફિશરીના સેક્રેટરી તરીકે મુક્યા છે.
મનીષ ભારદ્વાજને કો ઓપરેશન, એનિમલ હસ્બન્ડરી, કાઉ બ્રીડીંગ અને ફિશરીના સેક્રેટરીમાંથી બદલીને એગ્રીક્લચર, ફાર્મર્સ વેલ્ફેર એન્ડ કો ઓપરેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે મુક્યા હતા. નોંધનીય છે કે તેઓ આ ખાતાનો એડિશનલ ચાર્જ પહેલેથી જ સાંભળી રહ્યા હતા.
હર્ષદ પટેલ જેઓ રેવન્યુ વિભાગના એડિશનલ સેક્રેટરી છે અને રિલીફ કમિશનર છે તેમને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના CEOનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.