વિદેશથી ભારતમાં આવતા પ્રવાસીઓ માટે ગાઇડલાઇન જાહેર કરાઈ હતી. જેમાં ફેરફાર કરી 6 દેશમાંથી ટ્રાનેસિટ વિઝા દ્વારા આવતા પ્રવાસીઓ માટે પણ RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે.
વિદેશથી ભારત આવનારા પ્રવાસી માટે ગાઇડલાઇન
ટ્રાન્ઝિસ્ટ વિઝાથી આવનારા માટે RT-PCR ફરજિયાત
6 દેશોના પ્રવાસીઓ માટેના ગાઇડલાઇનમાં ફેરફાર
ચીન, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ભયાનક રૂપ ધારણ કર્યું છે. જેને લઈને ભારતમાં પણ કોરોનાની નવી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે કોરોનાના ખતરાને ખાળવા કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા અનેક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. તેવામાં વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે કોરોનાને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં 6 દેશમાંથી ટ્રાન્ઝિસ્ટ વિઝાથી આવતા પ્રવાસીઓ માટે પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે.
સંભવિત કોરોના સંક્રમણને લઇને સરકારની જાહેરાત
ચીન,જાપાન,સિંગાપોર સહિત કોરોના સંક્રમિત 6 દેશોના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 6 દેશોના પ્રવાસીઓ માટેના ગાઇડલાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને હવે આવા 6 દેશમાંથી ટ્રાન્ઝિસ્ટ વિઝાથી આવતા પ્રવાસીઓ માટે પણ RT-PCR ટેસ્ટ અનિવાર્ય કરવામાં આવ્યો છે.અગાઉ 6 દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે જ RT-PCR સર્ટી ફરજીયાત કરાયું હતું. આ મામલે કેન્દ્રિય આરોગ્ય વિભાગના અધિક સચિવ લવ અગ્રવાલએ કેન્દ્રીય સિવિલ એવિએશન સચિવને પત્ર લખ્યો છે.
અગાઉ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયાએ ટ્વીટ થકી કરી હતી જાહેરાત
4 દિવસ અગાઉ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયાએ ટ્વીટ કરીને 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત અંગેની જાહેરાત કરી હતી. જેમ જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે.તેમ જણાવ્યું હતું. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જેમાં એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવા જણાવ્યું હતું.