મોદી સરકાર તહેવારોને લઈને એકશન મોડમાં આવી ગઈ છે. સરકાર દ્વારા તહેવારોને અનુલક્ષીને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા જે પણ રાજ્યોમાં 5 ટકા વધારે પોઝિટિવીટી રેટ છે ત્યા ભીડ એકઠી ન થવા આદેશ આપ્યા છે.
તહેવારોને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગાઈડલાઈન જાહેર કરી
5 ટકાથી વધું પોઝિટીવીટી રેટ હોય ત્યા ભીડ એકઠી ન થવા આદેશ
સ્વાસ્થ્ય સચિવરાજેશ ભૂષણે તહેવારોને અનુલક્ષીને ગાઈડલાઈન જાહેર કરી છે. જેમા દરેક રાજ્યોને તેની વ્યાપક એસઓપી મોકલવામાં આવી છે. તહેવારોને લઈને તેમણે કહ્યું જે પણ જગ્યાએ 5 ટકા કરતા વધારે પોઝિટીવીટી રેટ છે. ત્યા ભીડ એકઠી ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
લોકોને ઘરમાં સુરક્ષીત રહેવાની અપીલ
જો કોઈ પણ કાર્યક્રમ માટે લોકોને આમંત્રીત કરવામાં આવે તો પહેલા તેની સંખ્યા બતાવી પડશે. નીતિ આયોગના સદસ્ય ડો વી તે પોલે પણ લોકોને અપીલ કરી ચે કે તહેવારોમાં કોઈ પણ બેદરકારી ન કરવી. સાથેજ તેમણે કહ્યું આપણે સૌએ સુરક્ષીત રહેવાનું છે અને બને ત્યા સુધી તહેવારોમાં ઘરેજ રહેવાનું છે.
સૌથી વધું પોઝિટીવ કેસ કેરળમાં
વધુમાં સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે સૌથી વધારે કેસ કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડું, મિઝોરમ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં છે. સાથેજ કહ્યું કે કેરળ એક માત્ર એવું રાજ્ય છે જ્યા એક લાખ કરતા વધારે એક્ટિવ કેસ છે. જ્યા દેશના કુલ 62 ટકા એક્ટિવ દર્દીઓ છે. સાથેજ કહ્યું કે 33 જિલ્લાઓમાં હજુ પણ 10 ટકા કરતા વધારે કેસ છે. જ્યારે 23 જિલ્લાઓમાં 5 થી 10 ટકા જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.
વૃદ્ધોને હવે ઘરેજ વેક્સિન મળશે
બીજી તરફ હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે હવે વેક્સિનેશન સેન્ટર સુધી ન જઈ શકનાર વૃદ્ધો અને અશક્ત લોકોને ઘેર પર વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થાને મંજૂરી આપી દેવાઈ છે. આ માટે હેલ્થ વિભાગની ટીમ ઘેર જઈને વૃદ્ધો અને અશક્ત લોકોને વેક્સિન આપશે.
નિયર ટુ હોમ કોવિડ વેક્સિનેશન સેન્ટર શરુ કરાશે
નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું કે વૃદ્ધોને ઘેર જ વેક્સિન આપવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે નિયર ટુ હોમ કોવિડ વેક્સિનેશન સેન્ટર સ્થાપિત કરવામાં આવશે જેને કારણે દિવ્યાંગો અને વુદ્ધો વેક્સિન લેવા સેન્ટર સુધી ધક્કા નહી ખાવા પડે અને તેમને ઘેર બેઠા વેક્સિન મળી શકશે.
કોરોના રસી નિમણૂક વિના આપવામાં આવશે
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 60 વર્ષથી વધુ વયના કોઈપણ વ્યક્તિ તેના ઘર નજીક રસી લઈ શકશે. આ ઉપરાંત 60 વર્ષથી ઓછી વયની વિકલાંગ વ્યક્તિઓને પણ તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ માટે તેઓ અન્યલોકોની જેમ અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈ શકે છે. તદુપરાંત, જો તેઓ ઇચ્છે તો, તેઓ કેન્દ્ર સુધી પહોંચી શકે છે અને ઓન-સાઇટ નોંધણી દ્વારા રસી મેળવી શકે છે.
આશા કામદારો અને સ્થાનિક સંસ્થાના કામદારો સૂચિ બનાવશે
સ્થાનિક સ્તરે, ગામડાઓમાં શહેરી સંસ્થાના કર્મચારીઓ અથવા આશા કામદારો કયા વિસ્તારમાં કેટલા વૃદ્ધો અને અલગ રીતે સક્ષમ લોકો છે તેની સૂચિ બનાવશે અને પછી તે વિસ્તારમાં નજીકમાં રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. દરેક રસીકરણ કેન્દ્રમાં 5 લોકોની ટીમની નિમણૂક કરવામાં આવશે. આમાં એક ડોક્ટર, પ્રશિક્ષિત નર્સ અને ત્રણ રસીકરણ અધિકારીઓ શામેલ હશે જે સમગ્ર કાગળિયા કરશે.