કેન્દ્ર સરકારે માર્ગ સલામતી માટેના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે, જ્યારે અમુક નિયમો બનાવવામાં આવ્યાં છે. હાલમાં જ મંત્રાલયે ટુ વ્હીલર માટેના સવારી કરનારા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
કેન્દ્ર સરકારે માર્ગ સલામતી માટેના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા
ટુ વ્હીલર માટેના સવારી કરનારા લોકો માટે નવી ગાઈડલાઈન કરી જાહેર
હાલમાં જ મોદી સરકારે રોડ સેફ્ટીને લઈને કેટલાંક નિયમોમાં બદલાવ કર્યો છે તો કેટલાંક નવા નિયમો બનાવ્યાં છે. મંત્રાલયે બાઈકની સવારી કરનારા લોકો માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ત્યારે જાણીએ આ વિશે વિસ્તારથી...
પેડેસ્ટલ ફરજિયાત બનાવવામાં આવ્યું
મંત્રાલયની ગાઈડલાઇન મુજબ બાઇકની બંને બાજુ ડ્રાઇવરની સીટ પાછળ હાથ હૅન્ડ હોલ્ડ રાખવા પડશે. તેનો હેતુ પાછળ બેઠેલા લોકોનું રક્ષણ કરવાનો છે. હજી સુધી મોટાભાગની બાઇકોમાં આ સુવિધા નહોતી. આ સાથે બાઇકની પાછળ બેસનારાઓ માટે બંને બાજુ પેડેસ્ટલ ફરજિયાત બનાવવામાં આવી છે.
આ સિવાય બાઇકના પાછળના વ્હીલની ડાબી બાજુનો અડધો ભાગ સુરક્ષિત રીતે કવર કરવાનો રહેશે જેથી પાછળ બેઠેલા લોકોના કપડા પાછળના વ્હીલમાં ભરાઈ ન જાય.
બાઇકમાં હળવા કન્ટેનરને લઇને જાહેર કરી માર્ગદર્શિકા
આ સાથે જ મંત્રાલયે બાઇકમાં હળવા કન્ટેનર મૂકવા માટેની માર્ગદર્શિકા પણ જારી કરી છે. આ કન્ટેનરની લંબાઈ 550 મીમી, પહોળાઈ 510 મીલી અને ઊંચાઈ 500 મીમીથી વધુ ન હોવી જોઈએ.
જો પાછલી સવારીના સ્થળે કન્ટેનર મૂકવામાં આવશે, તો ફક્ત ડ્રાઇવરને મંજૂરી આપવામાં આવશે. મતલબ કે કોઈ અન્ય વ્યક્તિ તે બાઇક પર બેસી શકશે નહીં. સરકાર સમયાંતરે આ નિયમોમાં ફેરફાર કરતી રહેશે.
ટાયરને લગતી પણ માર્ગદર્શિકા
તાજેતરમાં સરકારે ટાયરને લગતી નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આ અંતર્ગત મહત્તમ 3.5. ટન વજનના વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સૂચવવામાં આવી છે.
આ સિસ્ટમમાં સેન્સર દ્વારા ડ્રાઇવરને વાહનના ટાયરમાં હવાની સ્થિતિ વિશે માહિતી મળે છે. આ સાથે મંત્રાલયે ટાયર રિપેર કીટની પણ ભલામણ કરી છે. તેની રજૂઆત પછી, વાહનમાં વધારાના ટાયરની જરૂર નહીં રહે.