સોશિયલ મીડિયા પર લાખો કરોડો ફોલોઅર ધરાવતા ઈન્ફ્લુઅન્સર માટે કેન્દ્ર સરકાર 15 દિવસમાં એક ગાઈડલાઈન્સ લાવી રહી છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર માટે 15 દિવસમાં આવશે સરકારી ગાઈડલાઈન્સ
જે બ્રાન્ડ સાથે સંકળાયેલા હોય તેની માહિતી જાહેર કરવી પડશે
વેબસાઈટ પર ફેક રિવ્યુ પર લગામ માટેનો પણ નિયમ આવશે
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર માટે આગામી 15 દિવસમાં કેન્દ્ર સરકારે એક ગાઈડલાન્સ બહાર પાડશે. સૂત્રોના જણાવ્યાનુસાર ગ્રાહકોને ખોટા દાવાથી બચાવવા માટે સરકારે આવો નિર્ણય લીધો છે. આવનારી નવી ગાઈડલાઈન્સ અનુસાર, જો કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર કોઈ વિશેષ બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યાં હોય તે ઉપરાંત કોઈ કન્ટેન્ટનું એડ પ્રમોશન કરતા હોય તો તેમણે તેની માહિતી જાહેર કરવી પડશે.
ઉલ્લંઘનના કિસ્સામાં 10 થી માંડીને 50 લાખના દંડની જોગવાઈ
જોઈ કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર નવી ગાઈડલાઈન્સની જોગવાઈનું ઉલ્લંઘન કરતો ઝડપાય તો તેને 10 લાખનો દંડ થશે અને જો તે વારંવાર નિયમનો ભંગ કરશે તે તેને 50 લાખનો તગડો દંડ થશે.
સોશિયલ મીડિયા પ્રભાવકો અને બ્લોગર્સ માટે નિયમ લાવવાની કરાઈ હતી માગ
તાજેતરમાં, વેપારીઓની સંસ્થા સીએઆઇટીએ બ્રાન્ડ એન્ડોર્સર્સ, સોશિયલ મીડિયા પ્રભાવકો અને બ્લોગર્સને સૂચિત માળખા હેઠળ લાવવાની હાકલ કરી હતી જેથી ઓનલાઇન ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓની બનાવટી સમીક્ષાઓથી બચાવી શકાય. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ પણ દલીલ કરી હતી કે કોઈ પણ ઉત્પાદન કે સેવાના રેટિંગની સમીક્ષાને નીતિમાળખાનો ભાગ બનાવવો જોઈએ.
વેબસાઈટ પર ફેક રિવ્યુ પર લાગશે લગામ
સરકારી વિભાગે ઈ કોમર્સ વેબસાઈટ પર ફેક રિવ્યુ પર લગામ કસવા માટે એક નિયમ બનાવી બનાવ્યો છે. જેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ફેક રિવ્યુ પર લગામ મૂકવી જરુરી છે કારણ કે તે ગ્રાહકોને ઓનલાઈન પ્રોડક્ટ્સ અને સર્વિસ ખરીદવાની લાલચ પૂરી પાડે છે અને તેમાં ક્યારેય ગ્રાહકો ઘણી વાર છેતરાતા હોય છે. ગ્રાહકોને આવી છેતરપિંડીથી બચાવવા ફેક રિવ્યુ પ્રતિબંધનો નિયમ લાગુ પડશે.