ધૂપની સુંગધથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ગુગળના ધૂપને ખૂબ ગુણકારી માનવામાં આવ્યો છે. આવો જાણીએ ઘરમાં ગુગળનો ધૂપ કરવાના અનેક ફાયદા.
ગુગળનો ધૂપ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ થાય છે દૂર
ધૂપની સુંગધથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે
જાણો, ઘરમાં ગુગળ ધૂપ પ્રગટાવવાના અનેક ફાયદા
ગુગળનો ધૂપ કરવાથી ઘરમાં વાતાવરણ થાય છે શુદ્ધ
દેવી-દેવતાઓના આહ્વાન માટે પૂજા-પાઠમાં દીવો પ્રગટાવવો અત્યંત જરૂરી માનવામાં આવે છે. પ્રભુની આરાધનામાં અગરબત્તી અને ધૂપનુ એટલું જ મહત્વ છે. માન્યતા છે ધૂપની સુંગધથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ઘરમાં ધૂણી આપવા માટે અનેક ચીજ વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે, ધૂણીમાં નાખવામાં આવેલી અલગ-અલગ વસ્તુઓ તમને અલગ પ્રકારનુ ફળ આપે છે. જેમાંથી એક છે ગુગળની ધૂણી. આવો જાણીએ ઘરમાં ગુગળ ધૂપ પ્રગટાવવાના ફાયદા.
ગુગળના ધૂપના ફાયદા
તણાવમાંથી મુક્તિ
ગુગળના ધૂપને વધુ ગુણકારી માનવામાં આવ્યો છે. જો ઘર-પરિવારમાં વારંવાર ઝગડા થાય છે. પતિ-પત્ની વચ્ચે હંમેશા વિવાદની સ્થિતિ ઉભી થાય છે તો દરરોજ ધુપેલિયામાં ગુગળ નાખીને ધૂપ આપવો જોઈએ. જેનાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે અને માહોલ તણાવમુક્ત થશે.
ટોટકોના નાશ
માન્યતા છે કે ગુગળમાં નકારાત્મક શક્તિઓને દૂર કરવાની ક્ષમતા હોય છે. જેના ધૂપથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ નકારાત્મક શક્તિઓથી બચવા માટે 7 દિવસ સુધી પીપળાના પાનથી આખા ઘરમાં ગૌમૂત્રને છાંટો અને ત્યારબાદ ગુગળ ધૂપ કરો. જેને કારણે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ નષ્ટ થશે.
અટકેલા કામ સિદ્ધ થઇ જશે
ઘણી વખત વાસ્તુ દોષ, પિતૃ દોષના કારણે વ્યક્તિ પોતાના દરેક પ્રયાસો બાદ પણ તેમાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. એવામાં ગુગળ, પીળી સરસો, ગાયનુ ઘી અને લોબાનને મિક્સ કરી લો. હવે સંધ્યાટાણે ગાયના છાણા પર દરરોજ 21 દિવસ સુધી તેનો ધૂપ આપો. માન્યતા છે આમ કરવાથી કોઈ પણ કાર્ય અવરોધ વગર સિદ્ધ થઇ શકશે.