આવો જાણીએ કે જામફળ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફયાદામંદ છે. સાથે જ જાણીએ તેનું સેવન કઈ રીતે કરી શકાય છે.
પેટની તાલીફોને દૂર કરવામાં જામફળ છે અસરકારક
એસીડિટીમાં પણ સહાયક
શરદી-તાવ તથા આંખો માટે ફાયદાકારક
પોષક તત્વોથી ભરપૂર ફળ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. આમાંનું જ એક પૌષ્ટિક ફળ જામફળ છે. જમ્ફલ્માં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, વિટામિન B6, કેલ્શિયમ, આયરન જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત, જામ્ફલ્માં ફાઈટોન્યુટ્રીયંસ તથા એન્ટી-ઓક્સીડન્ટસ તથા મિનરલ્સ હાજર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયક હોય છે. આ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ તેના ફાયદા પણ છે. જામફળ સ્વાસ્થ્ય સંબંધિત ઘણા પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં કારગર છે. ખાસકરીને, પેટની સમસ્યાને દૂર કરવામાં જામફળ મુખ્ય ભૂમિકા નિભાવે છે. આવામાં આવો જાણીએ કે જામફળ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. સાથે જ જાણીએ તેનું સેવન કઈ રીતે કરી શકાય છે.
પેટના દુખાવાને કરે છે દૂર
ઘણી વાર લોકો જામફળ લીધા બાદ પેટમાં દુખાવાની ફરિયાદો કરે છે. જેનું કારણ જામફળના બીજ હોય છે. એટલે જ્યારે તમે જામફળનું સેવન કરો તો પહેલા તેના બીજ કાઢીને અલગ કરી દો. આવું કરવાથી પેટમાં દુખાવો નહિ થાય. આ સાથે જામફળના સેવનથી આપણું પાચન તંત્ર પણ સારી રીતે કામ કરે છે. આ માટે જામફળના વૃક્ષના પત્તાઓને પીસીને કાળા નામક સાથે ખાવાથી પેટનો દુખાવો દૂર થાય છે. તમે ઈચ્છો તો પાણી સાથે પણ તેનું સેવન કરી શકો છો.
અપચો
જો તમને અપચાની સમસ્યા રહે છે તો જામફળનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જમ્યા બાદ જામફળનું સેવન કરવાથી અપચાની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ જમ્ફાલથી પાચન ક્રિયા સારી રહે છે.
એસીડિટીમાં પણ સહાયક
જામફળનું સેવન કરવાથી ગેસ તથા એસીડિટીની સમસ્યા દૂર થાય છે. આવું એટલા માટે કેમકે જામફળ ખુદ પણ એસીડિક નેચરનું ફળ છે.
શરદી-તાવ
જામફળ શરીરની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે. જે કારણે ઈમ્યૂનિટી મજબૂત બને છે તથા શરદી-તાવ તેવી સમસ્યાઓનો ખતરો ઓછો થઇ જાય છે.
આંખો માટે ફાયદાકારક
જામફળમાં વિટામિન A હાજર હોય છે જે આંખોની દ્રષ્ટિ માટે અત્યંત ફાયદાકારક છે.
કબજીયાત
કબજીયાતના દર્દીઓ માટે જામફળ અત્યંત ફાયદાકારક હોય છે. કબજીયાતના દર્દીઓએ રોજ સવારે ખાલી પેટ 200-300 ગ્રામ જામફળ કાવું જોઈએ.