ભારતમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને વિશેષ પ્રસંગે ખાસ ગાર્ડ ઑફ ઑનર અપાય છે, આ સિવાય વિદેશના કોઈ વડા ભારતના પ્રવાસે આવે ત્યારે તેમનું સ્વાગત પણ સન્માન સાથે કરાય છે, ત્યારે જાણો કોણે કઈ રીતે શરૂ કરી હતી આ પ્રથા.
ગાર્ડ ઑફ ઑનરનો ઈતિહાસ
પીએમ માટે કેટલા જવાનો ?
પ્રથમ મહિલા કમાન્ડર
દેશના આ વખતના પ્રજાસત્તાક પર્વ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસિ મુખ્ય મહેમાન છે.ઈજિપ્તના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું છે. આવો જાણીએ કોને ગાર્ડ ઑફ ઑનર મળે?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત મુલાકાત દરમિયાન વિંગ કમાન્ડ પૂજા ઠાકુરે ટુકડીનું નેતૃત્વ કરી ઈતિહાસ રચ્યો હતો
ક્યારથી શરૂ થઈ પ્રથા ?
1947માં આઝાદી બાદ ભારતીય શસ્રદળોની એક ટુકડી રચવામાં આવી જેને ટ્રાઈ સર્વિસિસ ગાર્ડ ઑફ ઓનર તરીકે ઓળખવામાં આવે છે. આર્મી, નેવી અને એરફોર્સની પાંખમાં 100 લોકોનો આ વિશેષ કંપનીમાં સમાવેશ કરવામાં આવ્યો.
આ ટુકડીનું મુખ્યાલય દિલ્લીમાં છે. જેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેટલાક ખાસ વિદેશી મહેમાનો માટે તૈનાન કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ દેશના પ્રમુખ કે વડાપ્રધાન આપણા દેશમાં આવે છે ત્યારે તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવે છે. આ સિવાય કોઈ વિશિષ્ટ મહેમાન આવે તો તેમને પણ આ સમ્માન આપવામાં આવે છે.
જો કે દેશના રાજ્યોમાં પણ ગાર્ડ ઑફ ઓનરનો એક પ્રોટોકલ હોય છે. જેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, અને મંત્રીઓનો સમાવેશ થાય છે. દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રિય મંત્રીઓને પણ રાજ્યોની પોલસ ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવે છે. જેના માટે પોલીસ પાસ એક અલાયદી વ્યવસ્થા હોય છે
શહીદોને પણ મળે ગાર્ડ ઑફ ઑનર
આ સિવાય અન્ય કેટલીક સ્થિતિઓમાં ગાર્ડ ઑફ ઓનર આપી શકાય છે. જો કોઈ સૈનિક ફરજ દરમિયાન શહીદ થયા હોય, ભલે તે જવાન, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસ હોય કે ભારતીય સેનાના. જો તેમણે દેશ માટે શહીદી વહોરી હોય તો તેઓ પણ સમ્માન મેળવવાના હકદાર છે.
કેવી રીતે અપાય છે ગાર્ડ ઑફ ઓનર
ગાર્ડ ઑફ ઑનર માટે ત્રણે પાંખના જવાનો એક ફોરમેશન બનાવે છે. સલામી માટે મુખ્ય મહેમાન એક ડાયસ પર ઉભા રહે છે. આ સમયે ગાર્ડના કમાન્ડર તેમની પાસે જાય છે અને નિરિક્ષણ માટે આવેદન કરે છે. મુખ્ય મહેમાનને કમાન્ડર કહે છે કે “શ્રીમાન, મહોદય, ગાર્ડસ આપના નિરિક્ષણ માટે હાજર છે.”
કમાન્ડરના નિમંત્રણ બાદ મુખ્ય મહેમાન ડાયસ પરથી ઉતરી ગાર્ડસ તરફ આગળ વધે છે. નિરિક્ષણ રેખા પાસેથી આગળ વધી મુખ્ય મહેમાન ગાર્ડસ તરફ જોતાં આગળ વધે છે. જેમ જેમ મુખ્ય મહેમાન કે વિશિષ્ટ અતિથિ આગળ વધે છે તેમ તેમ તમામ ગાર્ડસ તેમની તરફ પોતાનો ચહેરો ફેરવે છે. આ દરમિયાન ગાર્ડસના કમાન્ડર તેમની જમણી તરફ ચાલતાં હોય છે. નિરિક્ષણ પૂરું થયા બાદ ગાર્ડ કમાન્ડર વિશિષ્ટ અતિથિને સલામી આપે છે.
કોને કેટલા ગાર્ડસનું સન્માન મળે ?
ભારતના રાષ્ટ્રપતિને 150 સૈનિક ગાર્ડસ ઑફ ઑનર આપે છે, જ્યારે વડાપ્રધાને 100 સૈનિક ગાર્ડ ઑફ ઑનર આપે છે. દેશના ઉપરાષ્ટ્રપતિને પણ પીએમ જેટલું જ સન્માન મળે છે. બાકીના તમામ મહેમાનો, અતિથિ કે વીવીઆઈપીને 50 ગાર્ડનું સન્માન મળે છે.
કોને ગાર્ડ ઑફ ઑનર ના મળે ?
કોઈ પણ રાજકીય પક્ષના વડા કે હોદ્દેદારો ગાર્ડસ ઑફ ઑનર સન્માન મેળવવાના હકદાર હોતા નથી.
ગાર્ડ ઑફ ઑનરની શરુઆત કોણે કરી ?
ચીનમાં મિંગ શાસન દરમિયાન ગાર્ડ ઑફ ઑનરની પ્રથા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. એમ્બ્રોઈડરીવાળા યુનિફોર્મમાં સૈનિકોએ 1368ની સાલમાં રાજાઓને ગાર્ડ ઑફ ઑનર આપવાનું શરૂ કર્યું હતું.. રાજા અને રાજાના પરિવાની સુરક્ષા આ ગાર્ડસના હાથોમાં હતી.
પ્રથાની શરૂઆત કોણે કરી?
ચીનમાં મિંગ શાસન દરમિયાન ગાર્ડ ઑફ ઑનરની પ્રથા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.