બજારમાં મળતા તૈયાર લોટ સ્વાસ્થ્ય માટે સાબિત થયા જોખમી, સંશોધનમાં થયા મહત્વના ખુલાસા, બહારનો લોટ ખાતા પહેલા ચેતી જજો
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કરાયો સર્વે
પેકિંગ ઘઉંના લોટ અને મેંદાની કરાઇ ચકાસણી
બેન્ઝાઇલ પેરોક્સાઇડની માત્રા નીકળી વધારે
માર્કેટમાં અત્યારે રેડી ટુ ઇટ વસ્તુઓનું વેચાણ વધી ગયુ છે.. એક પણ એવી વસ્તુ નથી જે તમને બજારમાં ન મળી રહે. પહેલા લોકો બારેમહિના ચાલે તેટલુ અનાજ ભરતા હતા. પરંતુ હવે તો વસ્તુની અવેબલિટી વધી ગઇ છે. બધી જ વસ્તુઓ બારેમાસ મળી રહી છે. પરિણામે ગૃહિણીઓ પણ હવે જરુર હોય ત્યારે જ સામગ્રી ખરીદવાનું પસંદ કરે છે. ઘરમાં ઘંટી હોવા છતાં પણ તૈયાર લોટ લેવાનું પસંદ કરે છે. જરુરિયાત મુજબ જ સીધો લોટ મોલમાં જઇને ખરીદી લાવે છે. ત્યારે તમે પણ જો લોટ બહારથી લાવીને ખાતા હોવ તો સાવધાન થઇ જજો.
પેકિંગ લોટ લીવર માટે જોખમી
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા માર્કેટમાં મળતા ઘઉંના લોટને લઇને સંશોધન કરવામાં આવ્યું.જેમાં પેકિંગ ઘઉંના લોટ અને મેંદાની ચકાસણી દરમિયાન બેન્ઝાઇલ પેરોક્સાઇડની માત્રા વધુ મળી આવી.. પ્રતિકિલોએ સરકારે 40 મિલીગ્રામની પરમિશન આપી છે...જ્યારે કંપનીના લોટમાં 60 મિલીગ્રામ કરતા વધુ બેન્ઝાઇલ પેરોક્સાઇડ જોવા મળ્યું છે...બેન્ઝાઇલ પેરોકસાઇડ વધુ પ્રમાણમાં હોય તો લીવર ડેમેજ થાય છે...લીવર ડેમેજથી લઈ કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે...
ઘઉં-મેંદાના લોટના લેવાયા સેમ્પલ
GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિની મનાલી મહેન્દ્રસિંહ પવાર દ્વારા પેકિંગ ઘઉંના લોટ અને મેદાની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી હતી..જેમાં તેમને ઇન્ટરનેશનલ ગાઇડલાઇન પ્રમાણે હાઇ પર્ફોમન્સ થીન લેયર ક્રોમોટોગ્રાફી મેથડ વિકસાવીને બજારમાં મળતા વિવિધ કંપનીઓના પેકિંગ ઘઉંના લોટ અને મેદાના સેમ્પલ લઇ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
બેન્ઝાઇલ પેરોક્સાઇડથી શું થાય છે ?
બેન્ઝાઇલ પેરોક્સાઇડ એક પ્રકારનું ખાદ્ય કેમિકલ છે
આ કેમિકલનો ઉપયોગ ખોરાકને સાચવી રાખવા માટે થાય છે
લોટ અને બીજા ખાદ્ય પદાર્થમાં બેન્ઝાઇલ પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે
વધુ પડતા બેન્ઝાઇલ પેરોક્સાઇડથી લીવરના પ્રોબ્લેમ થાય છે
લીવરને વધારે નુકસાન થવાથી કેન્સર જેવી બીમારી પણ થઇ શકે
બેન્ઝાઇલ પેરોક્સાઇડ પેટ સબંધી બીમારીને પણ નોતરે છે
બેન્ઝાઈલ પેરોક્સાઈડ નામનું તત્વ વિટામિન અને પ્રોટીન તોડે છે
બેન્ઝાઈલ પેરોક્સાઈડ લેવાથી શરીરમાં વિટામિનની ઉણપ સર્જાય
વિટામિનની ઉણપથી તેને સબંધિત રોગોનું પ્રમાણ વધે છે
કઇ રીતે કર્યું સંશોધન ?
માર્કેટમાંથી 20 જેટલા અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા
ઇન્ટરનેશનલ ગાઇડલાઇન પ્રમાણે સંશોધન કરવામાં આવ્યું
હાઇ પર્ફોમન્સ થીન લેયર ક્રોમોટોગ્રાફી મેથડ દ્વારા કરાયું સંશોધન
ઘરના અને ચક્કી પીસેલા લોટમાં બેન્ઝાઇલ પેરોક્સાઇડ નહીંવત
જાણીતિ કંપનીઓના લોટમાં બેન્ઝાઈલ પેરોક્સાઈડ વધુ પ્રમાણમાં જોવા મળ્યું
જાણીતા મોલમાં મળતા લોટનો થયો સર્વે
અત્યારે 20 ટકા સેમ્પલ ફેલ ગયા હોવાનું આવ્યું સામે