કોરોના મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળેલી છે, ત્યારે આવા સમયે જનતા પર મોંઘવારીના એક પછી એક ડામ આવતા રહે છે, જો કે, હવે ફરી એક વાર માઠા સમાચાર આવ્યા છે.
સામાન્ય જનતાને રોવાનો વારો આવશે
મોંઘવારીનો વધું એક ડામ જીલવા તૈયાર રહેજો
આટલી વસ્તુઓના ભાવ વધી જશે
આમ આદમી પર મોંઘવારીનો વધુ એક માર વેઠવાનો વારો આવશે. GST કાઉંસિલની આગામી બેઠકમાં મોદી સરકાર મોટી જાહેરાત કરી શકે છે. જીએસટીના સૌથી નીચલા ટેક્સ દરને હવે 5 ટકાથી વધારીને 8 ટકા કરવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલ, ખાવાનું તેલ બાદ હવે મોદી સરકાર જીએસટીનો સૌથી નીચલો સ્લેબ પર ટેક્સનો દર વધારવા જઈ રહી છે. હવે જીએસટીના સૌથી નીચા પાંચ ટકા સ્લેબને વધારીને 8 ટકા કરવાનો પ્લાન બનાવ્યો છે. આ નિર્ણયની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. જીએસટી પરિષદની આગામી બેઠકમાં આ નિર્ણય પર મહોર લાગી શકે છે. આ મહિનાના અંતમાં અથવા તો, આગામી મહિનાની શરૂઆતમાં જીએસટી કાઉંસિલની બેઠક થવાની છે.
આટલી વસ્તુઓના ભાવ વધી જશે
આપને જણાવી દઈએ કે, હાલમાં બ્રાંડ વગરના અને પેકેજ વગરના ખાદ્ય પદાર્થ અને ડેરી વસ્તુઓ જીએસટીના દાયરામાંથી બહાર છે. જીએસટીના 5 ટકા સ્લેબમાં પેકેટબંધ ખાદ્ય પદાર્થ જેમ કે, ખાંડ, તેલ, મસાલા, કોફી, કોલસા, માછલી, ખાતર, ચા, આયુર્વેદિક દવાઓ, હસ્તનિર્મિત કાલીન, અગરબત્તી, કાજૂ, મિઠાઈ, લાઈફબોટ અને અનબ્રાંડેડ પાયાના સામાનની સાથે સાથે નમકીન અને જીવન રક્ષક દવાઓ પણ સામેલ છે. પણ હવે જો ટેક્સ 8 ટકા લાગે છે, તો આ તમામ સામાનની કિંમતોમાં મોટો વધારો આવશે.
જીએસટી ટેક્સ સ્લેબમાં થશે મોટો ફેરફાર
રાજ્યોના નાણમંત્રીઓની એક સમિતિઆ આ મહિનાના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ જીએસટી કાઉંસિલને સોંપી શકે છે. તેમાં સરકારની કમાણી એટલે કે, રાજસ્વ વધારવાને લઈને અલગ અલગ પગલા લેવાની ભલામણ કરી છે, સૂત્રોનું કહેવું છે કે, જીએસટીના સૌથી નીચલા દરને 5 ટકાથી વધારીને 8 ટકા કરવા પર સરકાર વધારાના 1.50 લાખ કરોડ રૂપિયાની કમાણી કરશે. એક ટકાના વધારાથી વાર્ષિક 50,000 કરોડ રૂપિયાનું રેવન્યૂ મળે છે. આ સ્લેબમાં મુખ્ય રીતે પેકેક્ડ ખાદ્ય પદાર્થ શામેલ છે.
શું છે જીએસટીના દર
દેશમાં હાલના સમયમાં ચાર પ્રકારના જીએસટી દરો છે, જેમાં 8, 18 અને 28 ટકા છે. આગામી મહિને જો પ્રસ્તાવ પાસ થઈ જાય છે, તો તમામ વસ્તુઓ અને સેવાઓ પર હાલમાં 12 ટકા ટેક્સ લાગે છે, ત્યાં 18 ટકા સ્લેબ આવી જશે. આપને જણાવી દઈએ કે, લક્ઝૂરી વસ્તુ પર સૌથી વધારે ટેક્સ લાગે છે. લક્ઝૂરી અને સિન ગુડ્સ પર સૌથી વધારે 28 ટકા સ્લેબની ઉપર સેસ લાગે છે. આ સેલ કલેક્શનનો ઉપયોગ જીએસટી આવ્યા બાદ રાજ્યોને રાજસ્વ નુકસાનની ભરપાઈ માટે કરવામાં આવે છે.
સરકારને બખ્ખાં
આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2022મનાં જીએસટી કલેક્શન વધારીને 1 લાખ 33 હજાર 26 કરોડ રૂપિયા પહોંચી ગયું હતું. જીએસટી વસૂલીનો આ આંકડો ફેબ્રુઆરી 2021ની સરખામણીએ 18 ટકાથી વધારે છે. તો વળી ફેબ્રુઆરી 2020ની સરખામણીએ 26 ટકા કલેક્શન વધાર્યું છે. આ સતત પાંચમા મહિનો છે, જ્યારે જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. તેમ છતાં પણ જીએસટીનો સ્લેબ વધારવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.