ટેગ ટ્રેકિંગ ડિવાઇસ અથવા ડેટા લોગર્સ પર પણ કોઈ જીએસટી નહીં
નાણામંત્રી નિર્મલા સીતારમણે 18 ફેબ્રુઆરીએ જીએસટી કાઉન્સિલની 49મી બેઠકમાં ઘણા પ્રકારની વસ્તુઓ પર જીએસટી દરોમાં ફેરફારની જાહેરાત કરી હતી. આ વસ્તુઓ સ્ટેશનરીની વસ્તુઓથી લઈને પરીક્ષા સંસ્થાઓ અને ખાદ્ય ચીજો સુધીની હતી. આ બદલાયેલા દરો આજથી અમલમાં આવી ગયા છે અને 1 માર્ચથી તમારે આ ઉત્પાદનો પર બદલાયેલો ટેક્સ ચૂકવવો પડશે.
આ વસ્તુઓ પર ઘટ્યો જીએસટી
જીએસટી કાઉન્સિલે આરએબી (લિક્વિડ મોલાસીસ) અને પેન્સિલ શાર્પનર જેવા ઉત્પાદનો ઉપરાંત કેટલીક સેવાઓ પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ આજથી પેન્સિલ શાર્પનર પર 18 ટકાને બદલે 12 ટકાના દરે જીએસટી લાગુ કરવામાં આવ્યો છે અને તેના કારણે પેન્સિલ શાર્પનર સસ્તા થયા છે. તે ઉપરાંત પ્રવાહી ગોળ પરનો જીએસટી દૂર કરવામાં આવ્યો છે. જો તે ઓપન કે રિટેલમાં વેચવામાં આવે તો તેના પર ઝીરો ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. સાથે જ જો ત્યાં પેકેજ્ડ અને લેબલવાળા ગોળ હોય તો આજથી તેના પર 5 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. ટેગ ટ્રેકિંગ ડિવાઇસ અથવા ડેટા લોગર્સ પહેલેથી જ કન્ટેનર પર ફિક્સ કરેલા હોય, તો તેના પર કોઈ અલગથી આઇજીએસટી નહીં લાગુ પડે. સાથે જ આવા કન્ટેનર પર ઝીરો આઇજીએસટી લાગુ કરવામાં આવી રહ્યો છે
વાર્ષિક રિટર્ન ભરનારાઓ માટે લેટ ફીમાં ઘટાડો
કેન્દ્ર સરકાર વતી નાણાં મંત્રાલયે જીએસટીઆર-9 ફોર્મ હેઠળ વાર્ષિક રિટર્ન ભરનારા લોકો માટે લેટ ફીમાં પણ ઘટાડો કર્યો છે. 2022-23થી એક જ નાણાકીય વર્ષમાં કુલ 20 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા લોકો માટે લેટ ફી ઘટાડીને 100 રૂપિયા પ્રતિ દિવસ કરી દેવામાં આવી છે. આ સાથે જ 5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા બિઝનેસમેન માટે રોજની 50 રૂપિયા લેટ ફી નક્કી કરવામાં આવી છે.
કેન્દ્ર-રાજ્યની શૈક્ષણિક સંસ્થાને પણ મળશે જીએસટી મુક્તિ
કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત કોઈપણ ઓથોરિટીને "શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે પરીક્ષાઓ યોજીને સેવાઓ પ્રદાન કરવાના મર્યાદિત હેતુ માટે શૈક્ષણિક સંસ્થા તરીકે ગણવામાં આવશે. પ્રવેશ પરીક્ષાઓના આયોજન માટે શૈક્ષણિક સંસ્થાઓ અને કેન્દ્રીય અને રાજ્ય બોર્ડને ઉપલબ્ધ જી.એસ.ટી મુક્તિ સંબંધિત ઓથોરિટીને ઉપલબ્ધ રહેશે.