કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં એક સવાલના જવાબમાં મહામારીના સમયમાં લોકોને કેવી કેવી રાહત આપી છે, તેને લઈને વિગતવાર જવાબ આપ્યા હતા.
કેન્દ્રીય રાજ્યમંત્રીએ સંસદમાં આપ્યો જવાબ
કોવિડ દવાઓ અને સાધનોમાં રાહત
વરિષ્ઠ નાગરિકોને પણ આપી છે આ મોટી રાહત
કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં એક સવાલના જવાબ આપતા કહ્યું કે, દેશમાં જ્યારથી મહામારીની શરૂઆત થઈ છે, કોવિડ 19 દવાઓ અને સાધનો પાંચ ટકાના જીએસટી દર પર વેચવામાં આવી રહ્યા છે. તેની સાથે જ અન્ય દવાઓ પર પાંચથી 12 ટકાના દરે જીએસટી લાગૂ કરવામાં આવ્યો છે.
કોવિડ સંબંધિત દવાઓ અને સાધનો પર જીએસટી દર
પંકજ ચૌધરીએ એવું પણ કહ્યું કે, દેશમાં 66 ટકા સરકાર પ્રાયોજીત સ્વાસ્થ્ય વીમા યોજનાઓ કેન્દ્ર સરકાર સંચાલિત કરી રહી છે. તેમણે પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે, કોરોના મહામારી શરૂ થઈ, તો તમામ દવાઓના વેચાણમાં પાંચથી 12 ટકાની વચ્ચે જીએસટી દર લગાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોવિડ 19 સંબંધિત દવાઓ અને સાધનો પર પણ જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય વિમા માટે જીએસટીના દર 18 ટકા છે, જે આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર છે.
વરિષ્ઠ નાગરિકો માટે કરી આ જાહેરાત
નાણારાજ્ય મંત્રીએ કહ્યું કે, વરિષ્ઠ નાગરિક સ્વાસ્થ્ય વિમા પોલીસિયો પર એક લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકે છે. તેમણે કહ્યું કે, તમામ સેવાઓ પર જીએસટીના દરો અને છૂટ જીએસટી પરિષદની ભલામણોના આધાર પર નિર્ધારિત કરવામાં આવી છે. જે એક સંવૈધાનિક બોડી છે. તેમાં કેન્દ્રીય નાણામંત્રત્રી અને સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો દ્વારા નામિત મંત્રી સામેલ છે.
વીમા પોલીસીઓને પણ રાહત આપી
ચૌધરીએ આગળ કહ્યું કે, સમાજના આર્થિક રીતે નબળા વર્ગો અને વિકલાંગ શ્રેણીના જરૂરિયાતમંદ માટે વિશિષ્ટ સ્વાસ્થ્ય વીમા યોજનાઓ, જેમ કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના અને નિરામયા સ્વાસ્થ્ય વીમા જેવી યોજનાઓ સમગ્રપણે જીએસટી મુક્ત છે.