બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / GST rate cut in diamond job work Bhavnagar Diamond
Last Updated: 12:48 AM, 22 September 2019
જીએસટીમાં ઘટાડો થતા હવે હીરા ઉદ્યોગના વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદીના મારમાં ફસાયેલા હીરા ઉદ્યોગને ઓક્સિજન મળશે તેવું પણ મનાઈ રહ્યું છે. જિલ્લામાં 15 ટકા જેટલા કારખાનાઓ હાલ બંધ હાલતમાં છે અને કેટલીક ઓફિસોને પણ તાળા લાગ્યા છે. ત્યારે જીએસટી ઘટતા હવે નવી આશાનું કિરણ વેપારીઓમાં જોવા મળ્યું છે.
ADVERTISEMENT
આ ઉદ્યોગના મધ્યાન સમયની તો 2008ની સાલમાં જીલ્લામાં કુલ 1 લાખથી વધુ રત્નકલાકરો આ કામ કરતા હતા. કુલ 2.5 લાખ લોકોનું જીવન નિર્વાહ ચાલતું હતું. પણ ત્યારબાદ આ વ્યવસયમાં નવા કારીગરો આવતા બંધ થયા છે અને તેઓ બીજા ધંધામાં લાગી ગયા છે. ભાવનગરમાં હીરાના ઉદ્યોગકારો અસલામતી પણ અનુભવે છે. મોટાભાગના વેપારીઓ સુરત તરફ રવાનાથી જતા તેની માંઠી અસર થવા પામી છે.
ભાવનગર જીલ્લાના 15 ટકા જેટલા કારખાનામાં હાલ બંધ હાલતમાં છે. કેટલીક ઓફિસોને પણ તાળા લાગી ગયા છે. ભાવનગર જીલ્લામાં આમતો હીરાના વ્યવસાય કરો ને સરકાર કે સ્થનિક તંત્રની કોઈ સહાય મળતી નથી. છેલ્લા થોડા વર્ષોથી મંદીના વમળમાં ફેરવાઈ રહેલા હીરા ઉદ્યોગમાં જોબવર્ક ઉપર જીએસટી ઘટતા વેપારીઓ અને કારીગર બન્નેને ફાયદો થશે તેમ મનાઇ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.