કોરોના વાયરસના સંકટની વચ્ચે આલ્કોહોલવાળુ હેન્ડ સેન્ટાઈઝર ખૂબ જરુરી બની ગયું છે. તેનો બિઝનેશ ધોમ ધોકાર ચાલી રહ્યો છે. ત્યારે સરકાર જનતાની કમર તોડ જીએસટી લગાવી રહી છે. જ્યાં કોરોનામાં કેન્દ્ર સરકારે તેને જરુરી વસ્તુઓની યાદીમાં રાખ્યુ છે બીજી તરફ તેને જીએસટીના તેને એવી વસ્તુઓની યાદીમાં રાખ્યું છે જેના પર 18 ટકા ટેક્સ લાગે છે. ત્યારે લોકોને જરુરી વસ્તુ પર પણ વધારે ટેક્સ આપવો પડશે. જીએસટી પર બનેલી ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (એએઆર)ની ગોવા પીઠે આ આદેશ આપ્યો છે
ગોવા પીઠે આ આદેશ આપ્યો છે
સેનેટાઈઝરનું વર્ગીકરણ કરવા કહેવામાં આવ્યું હતું
કંપનીઓની દલીલ કે આ ઉત્પાદન પર 12 ટકા જીએસટી
આ કંપનીએ પુછ્યો હતો એએસઆરને સવાલ
સ્પ્રિંગફિલ્ડ ઈન્ડિયા ડિસ્ટિલરીઝએ એએઆરની ગોવા પીઠમાં અપીલ કરી કંપની દ્વારા ઉત્પાદન કરાતા સેનેટાઈઝરનું વર્ગીકરણ કરવા કહ્યુ હતુ. કંપનીની દલીલ હતી કે આ ઉત્પાદન પર 12 ટકા જીએસટી લાગે છે. આ ઉપરાંત કંપનીએ એમ પણ પુછ્યુ હતુંકે સેનેટાઈઝર જરુરી વસ્તુ છે તો શું આમાં જીએસટીની છુટ મળશે.
આ કારણે 18 ટકા ટેક્સ લાગશે
એએઆરે વ્યવસ્થા આપતા કહ્યું કે આવેદન કરતા દ્વારા નિર્મિત હેન્ડ સેનેટાઈઝર આલ્કોહોલ આધારિત છે. જેના પર 18 ટકા જીએસટી લાગશે. પ્રાધિકરણે કહ્યું કે ઉપભોક્તા બાબતોના મંત્રાલયે હાલમાં સેનેટાઈઝરને જરુરી વસ્તુઓના રુપમાં વર્ગીકૃત કર્યુ છે. પરંતુ જીએસટીના કાયદામાં જરુરી વસ્તુઓને અલગ છુટ આપવામાં આવી છે.
આવાયના ટેક્સ સલાહકાર અભિષેક જૈને કહ્યું કે આ નિરાકરણ જીએસટી પ્રાધિકરણના હેન્ડ સેનેટાઈઝર પર 18 ટકાના દરના વિચાર પર અનુરુપ છે. જેને કહ્યું કે શરુઆતમાં હેન્ડ સેનેટાઈઝર ચર્ચોનો વિષય છે. તેમણે કહ્યું છે કે કોરોનાને લીધે તેની ડિમાન્ડ વધી છે. મોટી સંખ્યામાં કંપનીઓ સેનેટાઈઝર બજારમાં કુદી છે. ત્યારે સરકારે તેની ચર્ચામાં ઉતર્યા વગર તેનું વર્ગીકરણ સ્પષ્ટ કરી દેવું જોઈએ.