વસ્તુ અને વેપાર કર (GST) ને લઇને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું તમામ મુશ્કેલીઓ હોવા છતાં હવે આ કાયદો છે, તેનું પાલન દરેક લોકોએ કરવાનું છે. નાણામંત્રીએ કહ્યું GSTમાં ક્ષતિ છે, જેનાથી લોકોને પરેશાની થઇ રહી છે, પરંતું હવે આ એક કાયદો છે.
નિર્મલા સીતારમણે વેપારી અને ઉદ્યોગકારો સાથે કરી વાતચીત
GST પર ચિંતાને લઇને નાણા મંત્રીને કર્યો સવાલ
GSTમાં રહેલી ખામીઓ દૂર કરીશું
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વેપારી, ઉદ્યોગકારો અને CA તેમજ અન્ય લોકો સાથે વાતચીત કરતાં કહ્યું કે GST કાયદો લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નહીં અને પહેલા દિવસથી જ લોકોને મુશ્કેલીના કારણે પરેશાનીનો ભોગ બનવું પડ્યું છે. નાણામંત્રીએ માફી સાથે કહેતાં કહ્યું કે આ તમારી મુશ્કેલીઓને દૂર કરી શકાઇ નથી.
GSTને લઇને નિર્મલા સીતારમણે કહી આ વાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મારી પહેલા દિવસથી ઇચ્છા રહી છે કે GST તમારી મુશ્કેલીઓને દુર કરે. પરંતુ મને દુઃખ છે કે GST તમારી મુશ્કેલીઓને દૂર ન કરી શક્યું. આ સંસદ તેમજ બધા રાજ્ય વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યો છે. જેમાં થોડી ઉણપ હોય શકે છે. જે કદાચ તમને પરેશાની આપી રહ્યું હોય. આ દેશનો કાયદો છે.. હું તમને અપીલ કરુ છું કે આપણે સાથે મળીને કામ કરીએ, જેથી આપણી પાસે વ્યવસ્થિત ફ્રેમવર્ક હોય.
#WATCH Finance Min during interaction with businessmen,entrepreneurs,CAs&others in Pune:We just can't damn GST now. It has been passed in Parliament&in state assemblies. It might have flaws,it might probably give you difficulties but I'm sorry,it's the 'kanoon' of the country now pic.twitter.com/tAPcQmHh5H