જીએસટીનાં સત્તાધીશોએ રાજ્યભરમાં સાગમટે દરોડા પાડીને ભલે કરોડોનાં બોગસ બિલિંગ પકડી પાડ્યાં હોય. પરંતુ તેમની આ કવાયતમાં ગંભીર બેદકારી પણ સામે આવી છે. ભરુચમાં 200 કરોડની કરચોરીનો તપાસમાં જીએસટીનાં અધિકારીઓએ ઝુંપડપટ્ટીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. જ્યાં ગોહિલ એન્ટરપ્રાઈઝની ગેરરીતિ માટે અધિકારીઓએ મહીને માત્ર 4000 રૂપિયા મહિને કમાનારા યુવકને પૂછપરછનાં સંકજામાં લીધો.
જીએસટી (GST) નાં સત્તાધીશોએ રાજ્યભરમાં સામટે દરોડા પાડીને ભલે કરોડોનાં બોગસ બિલિંગ પકડી પાડ્યાં હોય. પરંતુ તેમની આ કવાયતમાં ગંભીર બેદકારી પણ સામે આવી છે. ભરુચમાં 200 કરોડની કરચોરીનો તપાસમાં જીએસટીનાં અધિકારીઓએ ઝુંપડપટ્ટીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. જ્યાં ગોહિલ એન્ટરપ્રાઈઝ (Gohil Enterprise) ની ગેરરીતિ માટે અધિકારીઓએ મહીને માત્ર 4000 રૂપિયા મહિને કમાનારા યુવકને પૂછપરછનાં સંકજામાં લીધો. મોટી કરચોરી કરનારા મોટામાંથી સુધી ન પહોંચી શકનારા અધિકારીઓએ પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવકને ત્યાં દરોડા પાડ્યાં. જો કે, ટીમને વિલા મોંઢે પાછા ફરવું પડ્યું.
ભરૂચ શહેરનાં એમ.જી રોડ પર અડીને આવેલ વસંત મિલની ચાલી ખાતેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આ છે સુરેશભાઈ ધુળાભાઈ ગોહિલ. આ યુવક ભરુચ શહેરમાં ડ્રાઈવર તરીકે નોકરી કરીને મહિને છ હજાર રૂપિયા માંડ કમાઈ શકે છે અને આટલા પૈસામાંથી અહીં ઝુંપડપટ્ટીમાં રહેતા પોતાનાં પરિવારનું ભરણપોષણ કરે છે. તેની આવી કમજોર આર્થિક સ્થિતિથી તેનાં આડોશી પાડોશીઓ પણ માહિતગાર છે. પરંતુ જીએટી વિભાગનાં ઉચ્ચ અધિકારીઓને તે ગોહિલ એન્ટરપ્રાઈઝનો માલિક લાગી રહ્યો છે.
એટલું જ નહીં પરિવારનું માંડ ભરણપોષણ કરી શકતો આ યુવાન જીએસટીનાં ચોપડે 200 કરોડની કરચોરી કરનાર તરીકે ચીતરાયો છે. વિગતે વાત કરીએ તો ભરૂચ અને નડિયાદ જીએસટી વિભાગનાં અધિકારીઓ ગોહિલ એન્ટરપ્રાઈઝનાં નામે રૂપિયા 200 કરોડની જીએસટી ચોરીનાં કેસમાં તપાસ માટે ભરુચ શહેરના વસંત મિલની ઝુંપડપટ્ટીમાં રહેતા સુરેશ ગોહિલને તપાસ માટે જીએસટીની ઓફિસે બોલાવ્યો. સુરેશ ગોહિલોનો આક્ષેપ એ પણ છે કે, અધિકારીઓઓએ સમગ્ર મામલાની પતાવટ માટે તેની પાસેથી કેટલીક રકમની માગણી પણ કરી હતી.
આટલેથી અધિકારીઓને સંતોષ ન થયો તો અધિકારીઓ ગયા શનિવારે વસંત મીલની ચાલમાં ઝૂંપડામાં પહોંચી ગયા. જ્યાં પરિવાર સાથે રહેતા સુરેશ ધૂળાભાઈ ગોહિલનાં ઘરે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. અધિકારીઓએ ડ્રાઈવર સુરેશ ગોહિલના ઘરમાં તપાસ હાથધરી હતી તેમજ તેના બેંક એકાઉન્ટ પણ તપાસ્યા હતાં, જેમાં કંઈ પણ ન મળતા સુરેશ ગોહિલના બે મોબાઇલ જપ્ત કરી તેને કચેરીએ હાજર થવાનું સમન પણ ફટકારી દીધું. હકીકતમાં ગોહિલ એન્ટરપ્રાઈઝનાં નામે રૂ.200 કરોડની જીએસટી ચોરીનું કૌભાંડ કેટલાક અજ્ઞાત ભેજાબાજો કરી ગયા જેનો આક્ષેપ ભરૂચનાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ યુવાન સુરેશ ગોહીલ પર લાગ્યો છે.
કાચી માહિતીના આધારે કે બેદરકારીથી તૈયાર કરાયેલી વિગતોનાં આધારે તપાસ કરવા આવેલી ટીમે ઝૂંપડપટ્ટીમાં રહેતા સુરેશને ગોહિલ એન્ટરપ્રાઇઝનાં નામથી ભાવનગરમાં ટ્રક અને ગ્રીન સિટીમાં 4 બંગલા છે તેમ જણાવ્યું તો ખુદ સુરેશને નવાઈ લાગી. તેને લાગ્યું કે પોતાનાં નામે આટલા બંગલા છે તો પોતે અહીં ઝુંપડપટ્ટીમાં કેમ રહે છે. વળી પોતાની રોજિંદી આવક 200 રૂપિયાથી વધી નથી. તો તો પછી તે 200 કરોડની કરચોરી કઈ રીતે કરી શકે તેની આ દલીલ તો જીએસટીનાં અધિકારીઓને ગળે ઊતરી નથી પરંતુ સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કોઇ ભેજા બાજો દ્વારા સુરેશ ગોહિલનાં દસ્તાવેજોનાં ઉપયોગ કરી આ સમગ્ર ઘટનાને અંજામ અપાયો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે..
જીએસટી વિભાગ સપાટો બોલાવવાની લહાયમાં અધૂરા હોમવર્ક સાથે મેદાને ઉતરતું હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. જીએસટી વિભાગ વિગતો એકઠી કરવામાં ક્યાંકને ક્યાંક ઊણું ઉતરી રહ્યું છે. સાચા ચોર સુધી જીએસટી વિભાગ પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે. પરિણામે રોજનું કમાઈને રોજ ખાનારા લોકોને મુસીબતમાં ફસાવું પડી રહ્યું છે. 200 કરોડનાં કરચોરો જીએસટીની પકડથી દૂર છે અને આ તરફ અધિકારીઓને જવાબ આપવા માટે છેલ્લાં ત્રણ દિવસથી સુરેશ કામધંધો મૂકીને ઘરે જ હાજર રહેવા મજબૂર બન્યો છે સુરેશને ડર છે રખેને અધિકારીઓ સુરેશને ઘરે ન ભાળે અને ભાગેડું હોવાનો આરોપ મૂકી દે તો?