ઉદ્યોગ મંડળ એસોચેમે સરકારને અપીલ કરી છે કે આર્થિક મંદીને દૂર કરવા માટે સરકારે આવતા છ મહીના માટે GST રેટમાં 25 ટકાનો ઘટાડો કરવો જોઇએ. તેનાથી રોકાણ અને માંગમાં તેજી આવશે. એસોચેમે એમ પણ કહ્યું કે, સરકારે હાલ વધતા રાજકોષિય ખર્ચ વિશે વધારે ન વિચારવું જોઇએ.
આર્થિક મંદીને દૂર કરવા માટે સરકારે આવતા છ મહીના માટે GST રેટમાં 25 ટકાનો ઘટાડો કરવો જોઇએ
5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય હાંસલ કરવા માટે સરકારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર
ખજાના પર 1.2 લાખ કરોડનો બોઝ પડશે
જો તમામ સ્લેબના GST રેટમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવે છે તો સરકારી ખજાના પર લગભગ 1.2 લાખ કરોડનો વધારાનો બોજ પડશે. એસોચેમના અધ્યક્ષ નિરંજન હીરાનંદાનીએ કહ્યું કે, ટેક્સ રેટમાં ઘટાડાને કારણે બિઝનેસમેન વધારે ટેક્સ આપવા માટે ઉત્સાહિત બનશે.
બેરોજગારી મોટી સમસ્યા
તેમનું કહેવું છે કે, 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય હાંસલ કરવા માટે સરકારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. સરકારે એક સાથે બેરોજગારી અને ઘટતા ગ્રોથ રેટની સમસ્યાનો સામનો કરવો પડશે. માત્ર વિકાસ દરમાં તેજીથી લક્ષ્યને હાંસલ કરવામાં નહીં આવી શકે.
MSMEના માટે વેપાર સરળ બનાવવો પડશે
ઉદ્યોગ મંડળે આ વાત એવા સમયે કહી છે જ્યારે કેન્દ્રીય આંકડા કાર્યાલયે 2019-20ના પોતાના અગ્રિમ અનુમાનમાં આર્થિક વૃદ્ધિ દર 5 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. બજેટના વિશે ભલામણ આપતા હીરાનંદાનીએ કહ્યું કે 5000 અરબ ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યને હાંસલ કરવા માટે વેપાર અનુકુળતામાં સુધાર લાવવા, MSME માટે વેપારને સરળ બનાવવા, મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા તથા નિકાસ પ્રતિસ્પર્ધા બનાવવાની દિશામાં પગલા ઉઠાવવાની જરૂર છે.