લૉકડાઉન બાદ શુક્રવારે પ્રથમ વખત GST કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. GST કાઉન્સિલની આ 40મી બેઠક છે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વીડિયો કોન્ફરન્સિગ દ્વારા સામેલ થયાં હતા. બેઠક બાદ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, જુલાઇ 2017થી જાન્યુઆરી 2020 સુધી તેમણે GSTR 3B રિટર્ન ફાઇલ નથી કર્યું અને તેના પર શૂન્ય રિટર્ન થાય છે તો તેમણે લેટ ફીસ આપવાની જરૂર નથી.
લૉકડાઉન બાદ પ્રથમ વખત યોજાઇ GST કાઉન્સિલની બેઠક
GSTR 3B રિટર્ન માટે શરૂ કરાઇ નવી વિન્ડો
બેઠકમાં નાની કંપનીઓને રાહત આપતા પાછળથી જીએસટી રિટર્ન ભરવા પર વ્યાજને ઘટાડીને અડધું કરવામાં આવેલ છે. આવી કંપનીઓને પાછળથી જીએસટી ફાઇલ કરવા પર 9 ટકા વ્યાજની ચૂકવણી કરવી પડશે. મેથી જૂલાઇની વચ્ચે જીએસટી રિટર્ન ભરનારને લેટ ફી ભરવાની જરૂર રહેશે નહીં.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, જુલાઇ 2017થી લઇને જાન્યુઆરી 2020 સુધી ઘણા બધા રિટર્ન ફાઇલિંગ બાકી છે. એવામાં જેમણે રિટર્ન ભર્યા નથી તેમની પાસેથી કોઇપણ લેટ ફી લેવામાં આવશે નહીં
- GSTR-3B બી મોડેથી ભરવા પર મહત્તમ ફી માટે 500 રૂપિયાની મર્યાદા છે.GSTR 3B માટે નવી વિંડો બનાવવામાં આવી છે, જેના દ્વારા આ ફોર્મ ભરવાની અવધિ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવી છે.
જીએસટી સંગ્રહનો ડેટા બહાર નથી પડાયો
આપને જણાવી દઇએ કે, કર વસૂલાતમાં ઘટાડો અને જીએસટી રીટર્ન ફાઇલ કરવાની તારીખ વધારવાને કારણે સરકારે એપ્રિલ અને મે મહિનામાં જીએસટી સંગ્રહનો ડેટા જાહેર કર્યો નથી. માર્ચ મહિનાની શરૂઆતમાં જીએસટી કલેક્શન ઘટીને રૂ. 97,597 કરોડ પર આવી ગયું હતું. તાજેતરમાં, નાણાં સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું હતું કે જીએસટી સંગ્રહના આંકડા પરની સાચી તસવીર ફક્ત 30 જૂન સુધી મળશે.