જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની સંભાવના છે. આવતે મહિને જીએસટી કાઉન્સિલની બેઠક મળવાની છે.
આવતા મહિને GST કાઉન્સિલની બેઠક
GST સ્લેબમાં ફેરફારનો સૂત્રોનો મોટો દાવો
પાંચ ટકાના સ્લેબને બદલે 7, 8 કે 9 રખાય તેવી સંભાવના
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલ આગામી મહિને મળનારી બેઠકમાં પાંચ ટકાના ટેક્સ સ્લેબને રદ કરવાના પ્રસ્તાવ પર વિચારણા થવાની શક્યતા છે. પાંચ ટકાના જીએસટી સ્લેબને હટાવીને તેને બદલે 7, 8 કે 9 ટકા કરવાની કાઉન્સિલની દરખાસ્ત છે. જો પાંચ ટકાનો સ્લેબ વધારવામાં આવે તો કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થવાની સંભાવના છે.
વધુ વપરાશવાળી વસ્તુઓ ત્રણ ટકાના અન્યને આઠ ટકાના સ્લેબમાં રખાયે તેવી સંભાવના
સૂત્રોએ જણાવ્યું હતું કે તેના બદલે કેટલાક વધુ વપરાશ ધરાવતા ઉત્પાદનોને ત્રણ ટકાના સ્લેબમાં અને બાકીનાને આઠ ટકાના સ્લેબમાં મૂકવામાં આવી શકે છે. જેથી તેમને વળતર માટે કેન્દ્ર પર નિર્ભર રહેવું ન પડે.
હાલમાં જીએસટીમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર ટેક્સ સ્લેબ
હાલમાં જીએસટીમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર ટેક્સ સ્લેબ છે. આ ઉપરાંત ગોલ્ડ અને ગોલ્ડ જ્વેલરી પર ત્રણ ટકા ટેક્સ લાગે છે. આ ઉપરાંત કેટલીક અનબ્રાન્ડેડ અને અનપેક્ડ પ્રોડક્ટ્સ એવી પણ છે જેના પર જીએસટી લાગતો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આવક વધારવા માટે કાઉન્સિલ કેટલીક બિન-ખાદ્ય ચીજોને ત્રણ ટકાના સ્લેબમાં લાવીને કરમુક્તિ ધરાવતી વસ્તુઓની યાદીમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે.
5 ટકાના સ્લેબને વધારીને 7 કે 8 કે 9 ટકા કરવાની ચર્ચા
સૂત્રોએ જણાવ્યું હતું કે 5 ટકાના સ્લેબને વધારીને 7 કે 8 કે 9 ટકા કરવાની વાત કરવામાં આવી રહી છે. આ અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. કેન્દ્રીય નાણાં પ્રધાનની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યોના નાણાં પ્રધાનોનો સમાવેશ થાય છે.
પેકેજ્ડ ફૂડના જીએસટીમાં વધારો થવાની સંભાવના
ગણતરી મુજબ પાંચ ટકાના સ્લેબમાં (જેમાં મુખ્યત્વે પેકેજ્ડ ફૂડનો સમાવેશ થાય છે)માં પ્રત્યેક એક ટકાનો વધારો થવાથી વાર્ષિક આશરે રૂ.50,000 કરોડની વધારાની આવક થશે. વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કાઉન્સિલ મોટાભાગની વસ્તુઓ માટે આઠ ટકા જીએસટી પર સહમત થવાની ધારણા છે. હાલ આ ઉત્પાદનો પર જીએસટીનો દર પાંચ ટકા છે.જીએસટી હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ પર કાં તો સૌથી ઓછો ટેક્સ લાગે છે અથવા તો ટેક્સમાંથી સંપૂર્ણ છૂટ મળે છે. લક્ઝરી અને અનહેલ્ધી સામાન પર સૌથી વધુ ટેક્સ લાગે છે. તેમના પર 28 ટકાના ટેક્સ સાથે સેસ પણ લેવામાં આવે છે. આ સેસ કલેક્શનનો ઉપયોગ જીએસટીના અમલથી રાજ્યોને આવકમાં થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે થાય છે.