20 જૂને મોદી 2.0 સરકારના બીજા કાર્યકાળમાં GST કાઉન્સિલની પહેલી બેઠક યોજાશે. આ બેઠકમાં નાણા મંત્રાલય કંપનીથી કંપની (B2B) વચ્ચે વેપાર માટે કેન્દ્રીકૃત સરકારી પોર્ટલ પર ઇ-ઇન વોઇસ (e-Invoice) ઉભું કરવાના પ્રસ્તાવિત વ્યવસ્થા પર વિચાર કરી શકે છે.
તેનું લક્ષ્ય જીએસટીની ચોરી રોકવાનું છે. એની સાથે જ ઇન વોઇસનો દુરપયોગ થતો પણ રોકી શકાશે. આપને જણાવીએ કે, આ પ્રસ્તાવ 50 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુના વેપાર કરનારી કંપનીઓ પાસે હોઇ શકે છે. એનો નિર્ણય રાજ્યોના નાણામંત્રીઓની સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે.
કંનનીઓ તરફથી પ્રસ્તુત રિટર્નના વિશ્લેષણથી સામે આવ્યુ છે કે વર્ષ 2017-18માં 68041 કંપનીઓએ 50 કરોડ રૂપિયાથી વધારેનો વેપાર કર્યો છે. આ કંપનીઓનું GSTમાં કુલ યોગદાન 66.6 ટકા રહ્યું હતું. આપને જણાવીએ કે, GST ચૂકવણી કરનારી કુલ એકાઉન્ટમાંથી આવી કંપનીઓનો ફાળો માત્ર 1.02 ટકા છે. જોકે, બિઝનેસ ટુ બિઝનેસ ઇન વોઇસ જનરેટના મામલે તેમનો ભાગ લગભગ 30 ટકા છે.
આ સંદર્ભમાં એક અધિકારીએ જણાવ્યું કે, જીએસટી કાઉન્સિલની સહમતી બન્યા બાદ B2B વેચાણ માટે ઇ-ઇનવોઇસ સર્જન કરવા માટે સંસ્થાઓ માટે વેપારની મર્યાદા 50 કરોડ સુધી નક્કી કરી શકાય તેમ છે. આ મર્યાદા સાથે મોટા કરદાતા જેમની પાસે પોતાનું સોફ્ટવેર વિસ્તૃત કરવાની યોગ્ય ટેક્નોલોજી છે. એમને બિઝનેસ ટુ બિઝનેસ વેચાણ માટે ઇ-ઇન વોઇસ સર્જન કરવાનું રહેશે.
આમને મળશે રાહત
તેના કારણે 50 કરોડ રૂપિયાથી વધારે વેપાર ધરાવતી સંસ્થાઓને રિટર્ન ફાઇલ કરવા અને ઇન વોઇસ અપલોડ કરવાના કાર્યમાં રાહત મળશે. મંત્રાલય ઇ-ઇન વોઇસ સિસ્ટમ સપ્ટેમ્બરમાં શરૂ કરવાની યોજના બનાવી રહી છે.