ST નિગમ દ્વારા અનલૉક-4 જાહેર થયા બાદ રાજ્યના 5 મહિનાથી બંધ પડેલા અનેક રૂટ પુનઃ શરૂ કર્યા છે. રાજકોટથી ડિલક્સ એક્સપ્રેસ, સ્લિપર કોચ શરૂ કર્યા બાદ આજથી રાજકોટથી ભાવનગર, મહુવા, દીવ, અમદાવાદ અને ભુજ રૂટ પર વોલ્વો સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે.
ST નિગમ દ્વારા વોલ્વો સેવા પણ શરૂ કરાઇ
60 ટકા પેસેન્જર સાથે બસ સેવા શરૂ
ઓનલાઈન બુકિંગ 10 ટકા વળતર
રાજકોટ ડિવિઝન દ્વારા 60 ટકા પેસેન્જર સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે.વોલ્વોનું ઓનલાઈન બુકિંગ કરવા પર યાત્રિકોને એસ.ટી નિગમ 10 ટકા વળતર પણ આપી રહ્યું છે. રાજકોટ બસ સ્ટેન્ડમાં પેસેન્જનું સ્ક્રિનિંગ, સેનેટાઈઝેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
60 ટકા પેસેન્જર સાથે વોલ્વો બસ સેવા શરૂ કરાઇ
હાલ તો 60 ટકા પેસેન્જર સાથે વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ રૂટ શરૂ કરવામાં આવશે. રાજકોટ ST બસના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે તમામ ગાઈડલાઈનનું પાલન કરીને વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે.
40 એસી-વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય
ST વિભાગ દ્વારા આજથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે.12 વોલ્વો રાજકોટ, સુરત અને ભૂજ રૂટ પર દોડશે. 24 એસી બસનું પણ સંચાલન શરૂ થઈ.
કયા રૂટ પર શરૂ થઇ સેવા
અમદાવાદ-ડીસા, ભાવનગર, દાહોદ, મોરબી રૂટ શરૂ થવા સાથે રાજકોટ-દીવ, અમદાવાદ-અંબાજી રૂટ પણ ચાલુ થશે. 4 એસી સ્લીપર બસનું ઉમરગામ,અંબાજી, સુરત અને મોરબી રુટ પર સંચાલન શરૂ થયું છે. ત્યારે હવે રાજ્યમાં કુલ 80 એસી-વોલ્વો બસ દોડવાની શરૂ થઈ છે.