ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન સમયે રાજ્યમાં ST બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ તબક્કાવાર અનલોકમાં છૂટ આપવામાં આવી. ત્યારે હાલ રાજ્યમાં તહેવારોને ધ્યાનમાં લઇને લોકોને મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગ દ્વારા આજથી અમદાવાદથી વધુ 40 ST બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આજથી અમદાવાદથી વધુ 40 ST બસો દોડાવાશે
આજથી 15 જેટલી વધુ ST વોલ્વો બસ દોડશે
અમદાવાદથી દ.ગુજરાત,કચ્છ,સૌરાષ્ટ્ર તરફ દોડશે
કોરોના કાળમાં આજે અમદાવાદથી વધુ 40 ST બસ દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે 15 જેટલી વધુ ST વોલ્વો બસ પણ શરુ કરવામાં આવશે. આમ STમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર છે.
હાલ રાજ્યમાં તહેવારોની મોસમ ચાલી રહી છે. લોકોને આવવા-જવા તકલીફ ન પડે તે માટે ST વિભાગે વઘુ 40 બસો દોડાવાનો નિર્ણય કર્યો છે. જેમાં આજથી અમદાવાદથી વધુ 40 ST બસો દોડાવાશે. આ સાથે આજથી 15 જેટલી વધુ ST વોલ્વો બસ પણ દોડશે.
ST વિભાગ દ્વારા આ બસો અમદાવાદથી દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, તરફ દોડવાનો નિર્ણય લીધો છે. જેમાં 13 AC બસ દાહોદ, ડીસા, મોરબી, ઉના તરફ શરૂ થશે. જ્યારે 6 AC સ્લીપર બસ અમદાવાદથી સુરત, પાટણ માટે શરૂ કરાઇ છે.