ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન સમયે રાજ્યમાં ST બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ તબક્કાવાર અનલોકમાં છૂટ આપવામાં આવી છે. ત્યારે હાલ રાજ્યમાં તહેવારોને ધ્યાનમાં લઇને લોકોને મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગ દ્વારા 8 રુટ પર વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ST બસ નિગમનો મહત્વપૂર્ણ નિર્ણય
8 રૂટ પર વોલ્વો બસ દોડાવવા કર્યો નિર્ણય
દિવાળી પહેલા પ્રવાસીઓને આપી મોટી રાહત
રાજ્યમાં ST નિગમ દ્વારા દિવાળીમાં પ્રવાસીઓને મોટી રાહત આપી છે. તહેવારને ધ્યાનમાં લઇને 8 રૂટ પર વોલ્વો બસ દોડાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ST નિગમ દ્વારા કેવડિયા સહિત 8 રુટ પર વોલ્વો સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં રાજ્યમાં તહેવારની સીઝન ચાલી રહી છે. ત્યારે આગામી દિવાળીને ધ્યાનમાં લઇને ST વિભાગ દ્વારા 8 રૂટ પર વોલ્વો બસ દોડાવવાના નિર્ણય સાથે 34 વોલ્વો સ્લીપર બસ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 25 ઓક્ટોબરની આસપાસ અમદાવાદથી વધુ 40 ST બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદથી દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, તરફ દોડવાનો નિર્ણય લીધો છે. જેમાં 13 AC બસ દાહોદ, ડીસા, મોરબી, ઉના તરફ શરૂ કરાઇ હતી. જ્યારે 6 AC સ્લીપર બસ અમદાવાદથી સુરત, પાટણ માટે શરૂ કરવામાં આવી હતી.