ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો હાહાકાર જોવા મળે છે. ત્યારે લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલા ST બસના રૂટ હવે ધીરે-ધીરે શરૂ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટના ગોંડલ તાલુકાને લઇને એસટી મુસાફરો માટે સારા સમાચાર આવ્યાં છે.
ગોંડલ એસ.ટી દ્વારા મુસાફરો માટે સારા સમાચાર..
ટૂંક સમયમાં 25થી વધુ ગામડાઓના રૂટ પર ST બસ દોડશે
પાંચ મહિનાથી વધુ સમય બાદ ST બસની શરૂઆત
રાજકોટના ગોંડલમાં છેલ્લા પાંચ મહિનાથી વધારે સમયથી બંધ કરાયેલા રૂટ પર ફરી ST બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. હાલમાં તમામ એક્સપ્રેસ બસનું સંચાલન શરૂ છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ટૂંક સમયમાં 25થી વધુ ગામડાઓના રૂટ પર ST બસ ચાલુ કરવામાં આવશે. આમ હાલમાં ગ્રામ્ય વિસ્તારના ઘણા રૂટ બંધ છે. ત્યારે આગામી સોમવાર સુધીમાં ગામડાઓમાં 90 ટકા સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે આ માટે મુસાફરોની સુરક્ષા માટે 25થી વધારે થર્મલ ગન પણ ફાળવામાં આવી છે. તંત્ર દ્વારા કોરોના ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાની તાકીદ પણ કરવામાં આવી છે.