કોરોના કાળમાં દિવાળીના તહેવારમાં એસટી બસ સ્ટેશન પર કોરોનાની ગાઈડલાનનું પાલન નથી થઈ રહ્યું એટલું જ નહીં પરંતુ એસટી બસો કોરોનાનું નવું ઘર બની રહી છે.
દિવાળીના તહેવારમાં વતન તરફ જવા ભીડ
ST અને ખાનગી બસમાં મુસાફરોનો ધસારો
કોરોનાની અસર મુસાફરી પર પણ જોવા મળી
દિવાળીના તહેવારની શરૂઆતમાં લોકો પોતાના વતનની વાટ પકડી છે ત્યારે ST બસો અને ખાનગી બસોમાં ધસારો જોવા મળી રહ્યો છે. આજથી સૌરાષ્ટ્ર જતા મુસાફરોનો ધસારો વધ્યો છે. જો કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોમાં ઘટાડો છે. કોરોનાની અસર મુસાફરી પર પણ જોવા મળી રહી છે.
સલામત સવારીની બસો બની રહી છે કોરોનાનું ઘર
સલામત સવારી એસટી બસ કોરોનાનું નવું ઘર બની રહી છે. 75 ટકા કેપેસિટી સાથે બસો શરૂ કરવાના તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. દિવાળીના તહેવારને લઈ એસટી સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.
કોવિડ ગાઈડલાઈનનો ભંગ
કોરોનાકાળમાં બસપોર્ટ પર કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી એટલું જ નહીં પરંતુ મુસાફરોનું ચેકિંગ પણ કરવામાં આવતું નથી. થર્મલ ગનથી તાપમાન પણ માપવામાં નથી આવતું. બસમાં ચડવા માટે પ્રવાસીઓ ધક્કામુક્કી કરી રહ્યાં છે. જનતા એસટી વિભાગની બેદરકારીનો ભોગ બની રહી છે.