અમદાવાદમાં આજથી ગ્રામ્યમાં જતી ST બસનું સંચાલન શરુ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીને કારણે એસટી બસોને બંધ કરવામાં આવી હતી.
આજથી ગ્રામ્ય વિસ્તારમાં જતી ST બસનું સંચાલન શરૂ
માસ્ક, થર્મલ ગન સ્ક્રિનિંગ બાદ જ પ્રવેશ
80 થી 85 ટકા બસનું સંચાલન આજથી શરૂ થયું
અમદાવાદમાં આજથી ગ્રામ્યમાં જતી ST બસનું સંચાલન શરુ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીને કારણે એસટી બસોને બંધ કરવામાં આવી હતી. સૌથી પહેલા અમદાવાદમાં જ વધુ સંક્રમણ હોવાને કારણે અમદાવાદથી ગ્રામ્ય વિસ્તારોમાં જતી બસો પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયામાં બસોને શરૂ કરી દેવામાં આવી છે.
કોરોના સેફ્ટી ગાઈડલાઈન સાથે બસો શરૂ
તમામ એસટી બસના કંડક્ટરને થર્મલ ગન અપાઇ છે. મુસાફરોનું કંડક્ટર દ્વારા થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યુ છે એટલું જ નહીં પરંતુ માસ્ક, થર્મલ ચેકિંગ બાદ જ બસમાં પ્રવેશ આવી રહ્યો છે. ST નિગમ દ્વારા અત્યાર સુધીમાં 2000 થર્મલ ગનનો ઓર્ડર આપવામાં આવ્યો છે 80-85% બસોનું સંચાલન આજથી શરુ કરી દેવામાં આવ્યું છે.