શનિવારે ભારતમાં 24 કલાકમાં કુલ 6767 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ આંક 1,31, 000ને પાર કરી ચૂક્યો છે. દેશમાં કુલ 3868 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં 73162 એક્ટિવ કેસ છે. હાલ સુધીમાં દેશમાં 54385 લોકો સાજા થયા છે. સતત વધતાં આ આંકને જોઈને WHOએ મોદી સરકારને ભારતના 7 રાજ્યોમાં લૉકડાઉન ખોલવામાં ન આવે તેવી સલાહ આપી છે.
ભારતમાં કોરોનાની સંખ્યાએ વધારી ચિંતા
WHOએ 7 રાજ્યોને આપી આ સલાહ
લૉકડાઉન ન ખોલવા માટે આપી આ રાજ્યોને સલાહ
WHOના આધારે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાણા, ચંડીગઢ, તમિલનાડુ અને બિહારમાં છેલ્લા 2 અઠવાડિયામાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે જે તેને જોતાં WHOની ચિંતામાં વધારો થયો છે. WHOનું કહેવું છે કે આ તમામ રાજ્યોમાં લૉકડાઉન કાયમ રાખવાની જરૂર છે. 5 ટકાથી વધારે કોરોનાના દર્દીઓ જ્યાં હોય ત્યાં લૉકડાઉન કાયમ રાખવાની WHOએ સલાહ આપી છે.
આવી છે કોરોનાની 7 રાજ્યોમાં ટકાવારી
હાલમાં એક રિપોર્ટમાં કહેવાયું હતું કે અમેરિકામાં 50 ટકા રાજ્યોથી લૉકડાઉનને હટાવી શકાય છે. ભારતના 34 રાજ્યો અને સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 21 ટકા આ શ્રેણીમાં આવે છે. 7 મેના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં 18 ટકા, ગુજરાતમાં 9 ટકા, દિલ્હીમાં 7 ટકા, તેલંગાણામાં 7 ટકા, ચંડીગઢમાં 6 ટકા, તમિલનાડુમાં 5 ટકા અને બિહારમાં 5 ટકા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આ દરેક રાજ્યોમાં WHOના માપદંડથી વધારે કોરોના પોઝિટિવ કેસ છે માટે તેને લૉકડાઉન કાયમ રાખવાની સલાહ આપી છે.
WHOની સલાહ ફક્ત 7 રાજ્યો માટે જ
WHOની સલાહ આખા રાજ્ય પર લાગૂ થતી નથી. કેમકે રાજ્યોના કેટલાક જિલ્લા કોરોના વાયરસથી સંક્રમિત છે. રાજ્યોના હૉટસ્પોટમાં લૉકડાઉનને કડક કરવામાં આવી શકે છે. લૉકડાઉનમાં રાહત આપવાના કારણે WHOની તરફથી એક સંકેત આપવામાં આવે છે જેમાં રાજ્યોને કહેવાયું છે કે સંક્રમણ ક્યાં ફેલાઈ શકે છે અને કઈ રીતે તેને ઓછું કરી શકાય છે.