વાત કરીએ હવે સમય સાથે બદલાતા જીવન અંગે તો જેમ-જેમ સમયની સાથે-સાથે માગ વધતી ગઈ અને માગની સાથે-સાથે આપણી જરૂરિયાતો વધતી ગઈ. તેમ-તેમ આપણા રીતિ રિવાજ અને ખાણી-પીણી બદલાતી ગઈ. દેશી ખાનારા વિદેશી તરફ આકર્ષાયા અને શુદ્ધ ખાવાવાળા હાઈબ્રિટ ખાતા થયા.
અમદાવાદ નજીક મળે છે ઓર્ગેનીક શાકભાજી
ઓર્ગેનીક માટે ભાડે મળશે પ્લોટ
2 બહેનપણીએ બનાવ્યું ફાર્મ
પરંતુ આ હાઈબ્રિટ દુનિયાને ફરી દેશી તરફ એટલે કે, ઓર્ગેનિક તરફ લાવવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે.. જેમાં એક બેલડીની અદભૂત કામગીરી હાલ ખુબ ચર્ચામાં છે. જે બેલડી લોકોના ઘર સુધી ઓર્ગેનિક વસ્તુઓ ઉગાવી પહોંચાડે છે.
અમદાવાદ નજીક ઓર્ગેનિક ભંડાર
ભાઈ...ખાવાની વાત આવે તો ગુજરાતીઓનું નામ પેલા લેવાઈ. તે પણ દેશના કોઈપણ ખુણાની વાત આવે કોઇ વિદેશની પરંતુ સમયની સાથે-સાથે ગુજરાતીઓ શુદ્ધ અને દેશી ખાતા-ખાતા હવે હાઈબ્રીડ ખાતા બની ગયા છે. કારણ કે, દેશી મળવું અઘરું છે અને મળે છે તો મોંઘું છે. પરંતુ જો તમે અમદાવાદની આસપાસ રહો છો અને ઓર્ગેનિકનો ભંડાર શોધી રહ્યા છો. તો બેલડીની મુલાકાત લેવાનું ચૂકી ન જતા.
બેલડીમાં મળે છે બારેમાસ ઓર્ગેનિક શાકભાજી ભંડાર
બેલડીમાં તમને બારેમાસ ઓર્ગેનિકનો ભંડાર મળશે. તે ફણ કોઈ વાસી નહીં પરંતુ તાજેતાજી. જીહાં આપણે વાત કરી રહ્યા છે એ કમ્યુનિટી ફાર્મની જેને બેલડી એટલે કે બે બહેનપણીઓ દ્વારા તૈયાર કરાયું છે. ત્યાં બારે માસ શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડવામાં આવે છે અને તે શાકભાજી તેના માલિક સુધી પહોંચાડવામાં આવે છે.
બે બહેનપણી છે ફાર્મના માલિક
અહીં આ ફાર્મ બીજા કોઈનું નથી. પરંતુ શાકભાજી તેના માલિક સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે, આ ફાર્મના માલિક તો રાધિકા અને તાન્યા છે. પરંતુ તે બંને પોતાના ફાર્મની જમીનના જુદા-જુદા લોકોને ભાડે આપે છે અને તે જમીન પર સિઝન પ્રમાણે અને લોકોની માગ પ્રમાણે ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે અને જ્યારે શાકભાજીનું ઉત્પાદન શરૂ થઈ જાય ત્યારે તેઓ દર અઠવાડિયામાં બે વખત લોકોના ઘર સુધી તાજા શાકભાજી પહોંચાડે છે. તો જે લોકોએ ફાર્મ ભાડે રાખ્યું છે તે પણ જાતે જ પોતાના શાકભાજી લઈ જઈ શકો છે.
કોબા પાસે સાબરમતિના કિનારે આવેલું છે બેલડી ફાર્મ
આ ફાર્મ કોબા પાસે સાબરમતિના કિનારે આવેલું છે. ફાર્મની માલિક રાધિકા શાહ છે. પરંતુ ઓર્ગેનિક ફાર્મિંગની સૂઝ અને સમજ તાન્યા પાસે હતી. આમ બંને મિત્રોએ સાથે મળી આ ઓર્ગેનિક શાકભાજીનો વ્યવસાય શરૂ કર્યો છે. જેમાં તેઓ સ્ક્વેરફૂટના ભાવે ભાડા પર પ્લોટ આપે છે. આ પ્લોટ 100 સ્ક્વેરફૂટથી માંડી 900 સ્ક્વેરફૂટ સુધીના છે.. અને તેનું ભાડું એક સ્ક્વેરફૂટ દીઠ 20 રૂપિયા છે. હાલ આ ફાર્મમાં 30 જેટલા પ્લોટ ભાડા પર આપવામાં આવ્યા છે.. જેમાં ટામેટા, રિંગળ, મુળા, ગાજર, પાલક, મેથી, ધાણા, કોબી, ફ્લાવર સહિતની શાકભાજી ઉગાળવામાં આવી છે..
શુદ્ધ મળવું અને શુદ્ધ શોધવું ખુબ મુશ્કેલ
મહત્વનું છે કો, હાલની ભાગદોડ ભરી દુનિયામાં શુદ્ધ મળવું અને શુદ્ધ શોધવું ખુબ મુશ્કેલ છે. તેવામાં મોટા સિટીની બાજુમાં આવું ફાર્મ મળી જાય તો સોનામા સુગંધ ભળી જાય. જોકે આ તો બે મિત્રો દ્વારા શરૂ કરાયું છે. પરંતુ અમદાવાદની આસપાસના ખેડૂતો પણ આવી રીતે લોકોના ઘરો સુધી પહોંચી શકો છે અને એક સારું વળતર પણ મેળવી શકો છે. આ તો એક ઉદાહરણ હતું જે અમે રજૂ કર્યું. જેથી કોઈ ખેડૂતને પ્રેરણા મળી શકો.