આજકાલ લોકો પોતાની ભાગદોડ ભરી લાઇફના કારણે ખાવામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. તેમજ બહારના જંક ફૂડ વધારે ખાય છે. જેના કારણે શરીરને જોઇએ એવા વિટામિન્સ મળતા નથી. જેની અસર આપણી બોડી પર પડે છે. આજે અમે તમને કેટલાક ઘરગથ્થૂ ઉપચાર જણાવીએ છીએ જેને અપનાવીને ખરવાની સમસ્યા અને ટાલથી છુટકારો મેળવી શકશો.
ખરતા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાજા અદરકની જડ કારગર છે. વાસ્તવમાં એમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસ અને ખૂબ જ વિટામિન્સ જે સ્વસ્થ વાળના પોષણ માટે ખૂબ જરૂરી હોય છે જે મળી આવે છે. આદુમાં એવા ગુણ મળી આવે છે જેનાથી બેક્ટેરિયા ગ્રો કરી શકતા નથી. એમાં પ્રચુર માત્રામાં એન્ટી ઑક્સીડેન્ટ મળી આવે છે. આ જ કારણથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.
વાળ ખરતા રોકવા માટે આદુના રસમાં 1 લીંબૂનો રસ મિક્સ કરીને વાળના જડમૂળથી માથા સુધી લગાવો. આવું કરવાથી વાળનું ખરવું તો ઓછું થશે સાથે જ એમાં ખોડાની સમસ્યાનું નિરાકરણ આવશે. પરંતુ એને લગાવતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે એમાં એવા ગુણ હોય છે જેના કારણે માથામાં ડ્રાયનેસની સમસ્યા થઇ શકે છે. એટલે એને લગાવતા પહેલા વાળને બરોબર રીતે ઘોવો.
જલ્દી અસર જોવા માટે આ નુસ્ખાને સપ્તાહમાં બે વખત અજમાવો, તમારા ડાઇટમાં પણ આદુને સામેલ કરો. આવું કરવાથી પણ વાળને પોષણ પ્રાપ્ત થશે અને તે કાળા, લાંબા અને ગાઢ બનશે.