સોનાના ભાવ ઘટ્યા બાદ જો તમે ઘરેણાં ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જૂનું સોનું અને ઘરેણાં વેચવા પર જીએસટી લાદવામાં આવી શકે છે. કેરળના નાણામંત્રી થોમસ ઇસાકે શુક્રવારે જણાવ્યું કે રાજ્યના નાણાં પ્રધાન (જીએમએમ)નો ગ્રુપ સોનું અને ઘરેણાં વેચવા પર ત્રણ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાદવાના પ્રસ્તાવને લગભગ મંજૂરી મળી ગઈ છે.
સોનાના ઘરેણાં કેટલું ટેક્સ ચૂકવવું પડશે
સોનાની કિંમત બજારમાં ઘરેણાંના વજન અને કેરેટ પ્રમાણે બદલાય છે. પરંતુ સોનાના ઘરેણાં ખરીદવા પર તેની કિંમત અને મેકિંગ ચાર્જ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) 3 ટકા છે. તમે જે પણ મોડમાં પેમેન્ટ કરો તમારે 3 ટકા જીએસટી ચૂકવવું પડશે.
વેચવા પર કેટલો ટેક્સ છે?
ભાગ્યે જ કોઈ જાણે છે કે સોનું ખરીદવા સિવાય સોનું વેચવા પર પણ ટેક્સ લાગે છે. વેચતી વખતે તે જોવામાં આવે છે કે તમારી પાસે ઘરેણાં કેટલા સમયથી છે, કારણ કે તે સમયગાળા પ્રમાણે ટેક્સ લાગુ થશે. શોર્ટ-ટર્મ કેપિટલ ગેન (એસટીસીજી) અને લોંગ-ટર્મ કેપિટલ ગેન (એલટીસીજી) ટેક્સ સોના પર ચૂકવવો પડશે.
સોના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ ત્યારે લાગે છે જ્યારે તમે સોનું ખરીદ્યાના 3 વર્ષની અંદર ઘરેણાં વેચો છો. STCGના નિયમ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. ઘરેણાં વેચવા પર તમે કેટલી કમાણી કરો છો અને તેના ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ કપાશે.
3 વર્ષ અથવા તેનાથી જૂનું સોનું વેચવા પર લોન્ગ ટર્મ કેપિટલ ગેન પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. જેમાં એલટીસીજી અનુસાર ટેક્સ રેટ 20.80 ટકા રહેશે. પાછલા બજેટમાં જ એલટીસીજી પરનો સેસ 3 ટકાથી વધારીને 4 ટકા કરાયો છે. ટેક્સ દરમાં સેસ સામેલ છે. જોકે, તેના પહેલાં સુધી એલટીસીજી સોનું વેચવા પર 20.60 ટકા ટેક્સ હતું.