છોટાઉદેપુરઃ પાવી જેતપુરમાં ભાજપના કાર્યકરો વચ્ચે જૂથ અથડામણ થઇ છે. ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થતાં કેટલાક કાર્યકરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ધોબીએ જશુભાઇ અને તેમના સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં વિવાદ સર્જાયો હતો. ચિરાગ ધોબી નામના કાર્યકરે પાર્ટી વિરૂદ્વ વોટ્સઅપ ગ્રુપમાં ચેટિંગ કર્યુ હતું. જિલ્લા પ્રમુખે પાર્ટી વિરૂદ્વ નિવેદન કરતા કાર્યકર સાથે ઝપાઝપી થઇ હતી.
મહત્વનું છે કે અંકિત શાહ અને પ્રફુલ ભાઈ શાહ હાલમાં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે ભાજપ જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવા છોટાઉદેપુર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે ભાજપના ગ્રુપમાં વિવાદ સર્જાયો હતો. જેમાં ચિરાગ ધોબી નામના એક કાર્યકરે પાર્ટી વિરુધ્ધનું વોટ્સ એપ ગ્રૂપમાં ચેટિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખ જશુભાઈની વાત માનીએ તો તેમણે પાવી જેતપુર આવીને પાર્ટી વિરુદ્ધનું નિવેદન કરનાર ચિરાગના ઘરે ગ્યાં હતા. ત્યાં પાર્ટી વિરુદ્ધ કેમ ચાલો છો તેમ કહેતા ચિરાગ ભાઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળા ગાળી કરી હતી. તેમની જાતી વિરુદ્ધ ઉચ્ચારણ કર્યા હતા.
પરસ્થિતીનો તાગ મેળવી જતાં જશુભાઈ ત્યાંથી પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યાં પી.એસ.આઈ ન હોવાથી તે પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન પાવી જેતપુરના સરપંચ અંકિત શાહ ઉર્ફે મોન્ટુ કે જેઓ પાવીજેતપુરના સરપંચ છે. તેમની સાથે અંકિત ભાઈ ચિરાગ ભાઈ તથા પ્રફુલ ભાઈએ તેમની પર હુમલો કર્યો. જશુભાઈનું કહેવું છે કે તેમણે માર માર્યો અને તેમના ગાળાની ચેન અને પૈસા લઈ લીધા.
તો બીજી બાજુ ગામના ભોગ બનનાર અંકિત ભાઈનું કહેવું છે કે જશુભાઈએ ચુટણીની અંગત અદાવત રાખીને તેમની સાથે ઈરાદાપૂર્વક જગડો કરવા આવ્યા હતા. ગત વિધાનસભાની ચુંટણી હારી જતાં તેઓ તમેજ એમેને હરાવ્યો છે એમ કહી મારામારી કરી હતી.