રાજ્યમાં 24 કલાકમાં બે અલગ અલગ શહેરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે જૂથ અથડામણની ઘટનાઓ બની છે.
ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ બાઈક ચલાવવાના મુદ્દે જૂથ અથડામણ
રાજકોટ શહેરમાં મેસેજ બાબતે ગત મોડી રાત્રે જૂથ વચ્ચે અથડામણ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ બાઈક ચલાવવાના મુદ્દે જૂથ અથડામણ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે બાઈક ચલાવવાના મુદ્દે અથડામણ થવા પામી હતી. જેમાં બંને જૂથોના લોકો વચ્ચે લાકડી અને હથિયારો વડો હુમલો કરાયો હતો.આ જૂથ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં. બીજી તરફ આ ઘટનાની જાણ ધ્રાંગધ્રા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
રાજકોટ શહેરમાં મેસેજ બાબતે ગત મોડી રાત્રે જૂથ વચ્ચે અથડામણ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા બાદ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે મેસેજ મુકવા બાબતે અથડામણ સર્જાઈ છે. મહત્વનું છે કે, ગત મોડી રાત્રે જંગલેશ્વર-મવડી વિસ્તારના યુવકો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી.જેમાં જેમાં બંને જૂથના લોકો એક બીજા પર ભારે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તુરત ઘટના સ્થળે પહોંચી સ્થિતી કાબૂમાં લીધી હતી.
વડોદરાના રાવપુરા વિસ્તારમાં બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ જૂથ અથડામણ
વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ જૂથ અથડામણ સર્જાઇ છે. રાવપુરા ટાવર રોડ ઉપર 400થી 500 લોકો ધસી આવ્યા હતાં. જેમાં એક ટોળાંએ કાઠીપોળમાં આવેલી સાઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી તો એક જૂથના તલવારધારી ટોળાંએ ભારે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં ખુદ પોલીસ કમિશનર સહિતના સ્ટાફે સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો.
વેરાવળમાં ધાર્મિક સ્થળ પર ઝંડો ફરકાવવાની બાબતે જૂથ અથડાણ થયું
મહત્વનું છે તાજેતરમાં ગીરસોમનાથના વેરાવળમાં ધાર્મિક સ્થળ પર ઝંડો ફરકાવતાં બે સમુદાય વચ્ચે તણાવ સર્જાયો હતો. વેરાવળમાં હનુમાન જયંતિના દિવસે હોબાળો થયો હતો. ધાર્મિક સ્થાન પર ધ્વજ ફરકાવવાના મામલે બે સમુદાયના લોકો વચ્ચે ભારે હોબાળો થયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટોળાને કાબુમાં લઈ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ ઘટનાને પગલે કેટલા લોકોની અટકાયત પણ કરી હતી.
રામનવીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં જૂથ અથડામણ થયું હતું
રાજ્યમાં રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં હિંમતનગરના છાપરિયા વિસ્તારમાંથી ભગવાના રામની શોભાયાત્રાની રેલી નીકળી હતી.તે વખતે રેલીમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં આગચંપી અને પથ્થરમારો થતાં પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટિયરગૅસના ત્રણ સેલ છોડ્યા હતા. બીજી બાજુ આણંદના ખંભાતમાં પણ ભગવાન રામની શોભાયાત્રા સક્કરપુર વિસ્તારમાં નીકળી હતી તે દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં આગચંપી અને પથ્થરમારો થયો હતો. ખંભાત જૂથ અથડામણ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું