રવિવારે ખંભાત શહેરમાં ફાટી નીકળેલા તોફાનોના બે દિવસ બાદ આજરોજ પણ અજંપાભરેલી શાંતિ રહી હતી. ખંભાતની હાલની સ્થિતિને જોતાં ત્યાં તાત્કાલિક અસરથી અશાંતધારો લાગુ કરવાના આદેશ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ત્યારે હવે સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના DGP શિવાનંદ ઝા ખંભાત પહોંચ્યા હતા.
આણંદના ખંભાતમાં હિંસાનો મામલો
ખંભાતથી DGP શિવાનંદ ઝાનુ નિવેદન
કોઈપણ દોષિતોને છોડવામાં નહી આવે
ખંભાત પહોંચેલા શિવાનંદ ઝાએ સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી અને સમગ્ર સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ એક પત્રકાર પરિષદ સામે પ્રતિક્રિયા આપી હતી. ઝાએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, થોડા સમયથી શહેરની છાપ બગડી છે જોકે અમે ફરીથી શાંતિ સ્થાપિશું.
લાંબુ નહીં ચલાવી લેવાય: DGP શિવાનંદ ઝા
આ સાથે જ તેમણે પોલીસની નિષ્કાળજીની વાત ઉલ્લેખી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું કે અમે આવું લાંબુ સમય ચલાવી લઇશું નહીં અને કોઇપણ દોષિતોને છોડવામાં આવશે નહીં.
ATSને સોંપાઇ જવાબદારી
DGP શિવાનંદ ઝાએ ખંભાતની સ્થિતિનો તાગ મેળવીને આ ઘટના પાછળ કેટલા લોકો જવાબદાર છે તેને તે તમામ બાબતની જાણકારી મેળવવા માટે ATSને જવાબદારી સોંપાઇ છે.
ખંભાત મામલે CM રૂપાણીનું નિવેદન
કોઇપણ હિસાબે રાજ્યમાં નહીં ચલાવી લેવાય તોફાન. તોફાન કરનાર શખ્સો સામ થશે કડકમાં કડક કાર્યવાહી. આ દાવો કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. ખંભાત હિંસા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોઇપણ હિસાબે આ પ્રકારના તોફાન ચલાવી લેવાય નહી. જો કોઇ તોફાન કરવાની કોશિશ કરશે તો તેની સામે પગલાં લેવાશે. આ સાથે સીએમ રૂપાણીએ ખંભાતવાસીઓને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.
RAF દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
આણંદના ખંભાતમાં અજંપા ભર્યો માહોલ છે..ત્યારે શહેરમાં RAF દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. રાત્રીના સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઈને RAFના જવાનો સતર્ક છે..તો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના જવાનો પણ તૈનાત છે. છેલ્લા 2 દિવસથી આણંદમાં અજંપાભરી શાંતિ છે. પોલીસ બંદોબસ્ત હોવા છતાં આજે કેટલાક અજાણ્યા શખ્સોએ આગચંપી કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.