કુન્નુર ક્રેશે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ભયાનક અકસ્માતના કારણે ભારતે CDS જનરલ બિપિન રાવત સહિત 13 જવાનોને ગુમાવ્યા છે.
હેલિકોપ્ટર ક્રેશે ભારતભરમાં મચાવ્યો ખળભળાટ
કેપ્ટન વરુણ સિંહની ચિઠ્ઠી થઇ રહી છે વાયરલ
90% ન લાવી શકો તો કોઇ વાંધો નહી
હેલિકોપ્ટરમાં ટોટલ 14 લોકો સવાર હતા જેમાંથી માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ જીવતા બચી શક્યા છે. કેપ્ટન હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. દરમિયાન તેમની એક ચિઠ્ઠી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બાળકો અને પ્રિંસિપલને લખી હતી ચિઠ્ઠી
હેલિકોપ્ટર અકસ્માતના એકમાત્ર સર્વાઇવર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે 18 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાના સ્કૂલને એક પત્ર લખ્યો હતો. જે હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
90% ન લાવી શકો તો કંઇ વાંધો નહી
વીરતા પુરસ્કાર, શૌર્ય ચક્ર પુરસ્કાર મેળવનાર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે આ પત્રમાં લખ્યું છે કે, 'અભ્યાસમાં સાધારણ હોવું ઠીક છે. દરેક જણ શાળામાં શ્રેષ્ઠ નથી બની શકતું અને દરેક જણ 90% સ્કોર કરી શકતું નથી. જો તમને આ સિદ્ધિઓ મળે તો તે સારી વાત છે અને તેની પ્રશંસા પણ થવી જોઈએ. પણ જો આમ ન થાય તો પણ એવું ન વિચારો કે તમે સામાન્ય છો. કારણ કે શાળામાં સામાન્ય હોવું એ જીવનમાં આવતી વસ્તુઓનો સામનો કરવાનો માપદંડ નથી.
'It's ok to be mediocre'
Inspiring letter of Group Captain Varun Singh, lone survivor in helicopter crash, to principal of his school with request to share it with teenaged students to motivate them. Sharing the wonderful journey & beautiful thoughts of the braveheart with u. pic.twitter.com/vSpymhMg0p
તે આગળ લખે છે, 'તો તમારો શોખ શોધો. તે કલા, સંગીત, ગ્રાફિક ડિઝાઇન, સાહિત્ય હોઈ શકે છે. તમે જે પણ કામ કરો છો તેના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહો. તમારું શ્રેષ્ઠ આપો તમારે એવું વિચારવાની જરૂર નથી કે હું વધુ પ્રયત્નો કરીને વધુ સારું કરી શક્યો હોત.
'મને પણ ઓછો આત્મવિશ્વાસ હતો'
કેપ્ટન સિંહે આ પત્રમાં જણાવ્યું છે કે જ્યારે તેઓ યુવા કેડેટ હતા ત્યારે તેમનો આત્મવિશ્વાસ પણ ઓછો હતો. તે લખે છે, 'જ્યારે મને એક યુવાન ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે ફાઇટર સ્ક્વોડ્રનમાં કમિશન આપવામાં આવ્યો, ત્યારે મને સમજાયું કે જો હું મારું મન અને હૃદય તેમાં લગાવીશ તો હું ખૂબ સારું કરી શકીશ. તે જ દિવસે મેં શ્રેષ્ઠ બનવા માટે કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે નેશનલ ડિફેન્સ એકેડમીમાં કેડેટ તરીકે, હું અભ્યાસ કે રમતગમતમાં શ્રેષ્ઠ ન હતો. પરંતુ પછીથી પ્લેન પ્રત્યેનો મારો શોખ વધ્યો અને મેં વધુ સારું કરવાનું ચાલુ રાખ્યું. તેમ છતાં, મને મારી વાસ્તવિક ક્ષમતાઓમાં વિશ્વાસ નહોતો. આ પત્રમાં કેપ્ટન સિંહે શાળાને શૌર્ય ચક્ર મળવાનો શ્રેય પણ આપ્યો હતો.