ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના આજ સુબહ 11 વાગે રાજકીય અને સૈન્ય સન્માનની સાથે ભોપાલના બૈરાગઢના મુક્તિઘામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગુરુવારે વરુમ સિંહનો પાર્થિવ દેહ ભોપાલ લાવવામાં આવ્યો હતો. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોનું મહેરામણ ઉમટ્યુ હતુ. એરફોર્સના અધિકારીઓ અને એમપી સરકારના મંત્રી વિશ્વાસ સારંગ પણ ભોપાલ એરપોર્ટ પહોંચી શ્રદ્ધાંજલિ આપી.
અંતિમ યાત્રા બૈરાગઢ મિલિટ્રી હોસ્પિટલથી શરુ થશે
વરુણની અંતિમ યાત્રા બૈરાગઢ મિલિટ્રી હોસ્પિટલથી શરુ થશે. રસ્તાની બન્ને બાજુ તેમના અંતિમ દર્શન અને વિદાય માટે લોકોનું પહોંચવાનું શરુ થઈ ગયું છે. અંતિમ સંસ્કાર દરમિયાન લોકો બેરિકેડની બીજી તરફથી દર્શન કરી શકશે.
એક માત્ર વ્યક્તિ હતા જે આ દુર્ઘટનામાં બચ્યા હતા પણ...
8 ડિસેમ્બરે તમિલનાડુના કુન્નુરમાં ભારતીય વાયુસેનાના વિમાન ક્રેશમાં એક માત્ર જીવતા બચેલા વરુમ સિંહનું બુધવારે સારવાર દરમિયાન મોત થયુ હતુ. બેંગલુરુના સૈન્ય હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ ઘટનાનમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 અધિકારીઓ શહીદ થયા હતા. વરુણ મૂળ રુપથી યુપીના દેવરિયા જિલ્લાના ખોરમા કન્હોલી ગામના રહેવાસી હતા. હાલમાં વરુણ સિંહના પિતા રિટાયર્ડ કર્નલ કેપી સિંહ ભોપાલના એરપોર્ટ સ્થિત સન સિટી કોલોનીમાં રહે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં એક એર ઈમરજન્સી દરમિયાન પોતાની એલસીએ તેજસ ફાયટર વિમાનને બચાવવા માટે વરુણ સિંહને શૌર્ય ચક્રથી સન્માતિ કરવામાં આવ્યા હતા.