ટી20 વર્લ્ડ કપ 2022ની એક મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રનોથી હરાવ્યાં છે. પાકિસ્તાન ટીમે આ જીતની સાથે જ સેમી ફાઇનલ્સમાં પોતાની હાજરી સંભવત: નોંધાવી દીધી છે. જો સાઉથ આફ્રિકા નેધરલેન્ડ સામે પોતાની છેલ્લી મેચ હારે છે તો પાકિસ્તાનનાં નસીબ ચમકી જશે.
પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે જીત મેળવી
છેલ્લી મેચ જીતીને સેમીફાઇનલ્સમાં કરી શકે છે એન્ટ્રી
ભારત પર પડી શકે છે અસર
ટી20 વર્લ્ડકપ 2022માં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને ડકવર્થ લુઇસના નિયમ અંતર્ગત 33 રનોથી માત આપી છે. જેના લીધે પાકિસ્તાનના સેમી ફાઇનલ્સમાં જવાની શક્યતાઓ વધી ગઇ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગુરૂવારે જે મેચ રમાઇ તેમાં સાઉથ આફ્રિકાને 14 ઓવરોમાં 142 રનોનો ટારગેટ મળ્યો હતો.પરંતુ આફ્રિકી ટીમ 9 વિકેટનાં નુક્સાન પર 108 રન જ બનાવી શકી.
Pakistan stay alive in the race to the #T20WorldCup semi-finals 👊
પાકિસ્તાનની જીતે ગ્રુપ 2નાં સમીકરણો પલટાવ્યાં
પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે મેચ જીતી જતાં ગ્રુપ 2નાં સમીકરણોને હવે પલટાવી દીધેલ છે. હવે સાઉથ આફ્રિકાને નેધરલેન્ડ સામે આવનારી મેચમાં જીતવું આવશ્યક છે જો તેમાં સાઉથ આફ્રિકા હારી તો તે સ્પર્ધાથી બહાર થશે અને પાકિસ્તાનની સંભવત: સેમી ફાઇનલ્સમાં એન્ટ્રી થશે.
નેધરલેન્ડ સામેની જીત સાઉથ આફ્રિકા માટે લાઇફ જેકેટ
નેધરલેન્ડની સામે આવનારી મેચ સાઉથ આફ્રિકાની છે. જો આ મેચમાં સાઉથ આફ્રિકા જીતે છે તો તેનો અંક 7 થઇ જશે અને તે સેમી ફાઇનલ્સ ક્વોલિફાઇ કરી શકશે. અને જો સાઉથ આફ્રિકા પોતાની છેલ્લી મેચ હારી જાય છે તો સાથે જ પાકિસ્તાની ટીમ પોતાની છેલ્લી મેચ બાંગ્લાદેશથી જીતે છે તો તે 6 અંક મેળવ્યાની સાથે જ બીજાં નંબર પર ક્વોલીફાઇ થશે.
ભારત નહીં કરે હવે ન્યૂઝીલેન્ડનો સામનો
બીજી તરફ જોઇએ તો પાકિસ્તાનની જીતથી ભારતને ફાયદો થઇ શકે છે. ભારત જિમ્બાબ્વે સામે જીત મેળવીને 8 અંકો પોતાના નામ કરી પોતાના ગ્રુપમાં ટોપમાં પહોંચી શકે છે. આવી સ્થિતીમાં પોતાની સેમીફાઇનલ્સમાં ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડનો સામનો થઇ શકે છે. પરંતુ જો ભારતનું સ્થાન બીજું છે તો સંભવત: ગ્રુપ 1ની ટોપર ટીમ ન્યૂઝીલેન્ડનો સામનો ભારતે કરવો પડશે.