બ્રિટનમાં એક લગ્ન વખતે વરરાજાની બહેને કરી દીધી એવી વાત કે લગ્ન થતાં પહેલા જ તૂટી ગયા.
લગ્નના દિવસે જ તૂટી ગયા લગ્ન
લીલા તોરણે જાન વળી પાછી
નણંદની વાત ન માનતા લગ્ન તૂટ્યા
વરરાજાની બહેને કરી માગ
એક રિપોર્ટ અનુસાર વરરાજાની બહેને પહેલાથી જ કહ્યું હતું કે લગ્નના જમણવારમાં બધુ જ જમણ શાકાહારી હોવું જોઇએ. જો આવું નહી થાય તો પરિણામ સારું નહી આવે. વરરાજાની બહેનની આ ડિમાન્ડથી બધા ચોંકી જરૂર ગયા હતા પરંતુ કોઇએ તે વાતને સીરિયસલી ન લીધી અને સંબંધ તૂટવા સુધી આવી ગયો.
કન્યાપક્ષે કહી આ વાત
લગ્નમાં વરરાજાની બહેનના કહ્યાં અનુસાર શાકાહારી જમણ નહોતું થઇ શક્યું. કન્યાપક્ષે કહ્યું કે તેમના ત્યાં બહારથી પણ ઘણા મહેમાનો આવ્યા હતા માટે આ વાત સંભવ થઇ શકી નહી. જ્યારે વરરાજાની બહેનને આ વાતની જાણ થઇ ત્યારે તે નારાજ થઇ ગઇ હતી અને તેણે એલાન કર્યું કે તે દુલ્હનના પરિવાર સાથે સંબંધ તોડે છે. દુલ્હાના ઘરના લોકો પણ નારાજ થઇ ગયા હતા અને સંબંધ તૂટી ગયો હતો.
લોકોએ આપ્યો મિશ્ર પ્રતિભાવ
લોકોએ સોશ્યલ મીડિયા પર આ વાતને મિશ્ર પ્રતિભાવ આપ્યો હતો. કેટલાક લોકોએ વરરાજાની બહેનની ટીકા કરતા લખ્યું કે તેણે આવી માગ ન કરવી જોઇએ. કેટલાક લોકોએ તેનું સમર્થન પણ કર્યું હતું, આમ, સોશ્યલ મિડીયા પર આ વાતને મિશ્ર પ્રતિભાવ સાંપડ્યો હતો.