ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક જ પરિવારના 9 લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આ પરિવારમાં લગભગ 10 દિવસ પહેલા લગ્ન યોજાયા હતાં. લગ્નના થોડા દિવસો પછી તબિયત લથડતાં વરરાજાનું મોત નીપજ્યું હતું. જોકે, વરરાજાનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો. જો કેપરીવારના સભ્યોએ તપાસ કરાવી તો કન્યા સહિત 9 લોકોએ કોવિડ -19 પોઝિટિવ આવ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં એક વરરાજાનું થયું મોત
પરિવારના 9 લોકો કોરોના પોઝિટિવ આવ્યા
ફિરોઝાબાદમાં અત્યાર સુધીમાં 3673 કેસ આવ્યા
ફિરોઝાબાદના ચીફ મેડિકલ ડો.નીતા કુલશ્રેષ્ઠાએ જણાવ્યું કે, જસરાણા ક્ષેત્રના ગામ નગલા સાવંતીના યુવકના લગ્ન લગભગ 10 દિવસ પહેલા થયા હતા અને ત્યારબાદ થોડા જ સમયમાં તે બીમાર થઈ ગયો અને 4 ડિસેમ્બરે વરરાજાનું અવસાન થયું. તેણે કહ્યું કે તેની પાસે કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો. આવી સ્થિતિમાં, તે કહેવું મુશ્કેલ છે કે તેનું મૃત્યુ કોવિડ -19 થી થયું હતું.
પરિવારના 9 લોકો કોરોના પોઝિટિવ આવ્યો
વરરાજાના મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં 9 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતાં. તેમાં વહુની સાસુ અને ભાભી પણ શામેલ છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે. સીએમઓ કુલશ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે ગામના અન્ય લોકોની કોરોના તપાસો માટે મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે.
ફિરોઝાબાદમાં અત્યાર સુધીમાં 3673 કેસ આવ્યા છે
ફિરોઝાબાદના સીએમઓએ જણાવ્યું કે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 3673 કેસ નોંધાયા છે. આમાંથી હાલમાં 171 લોકો સારવાર લઈ રહ્યા છે, જ્યારે કોવિડ -19 ના સંપર્કમાં આવવાને કારણે 67 લોકોનાં મોત નીપજ્યાં છે અને બાકીના લોકો સારવાર બાદ સંપૂર્ણ રીતે સાજા થયા છે.