ઉત્તરપ્રદેશના બિજનોરમાં કોરોનાથી 72 કલાકમાં દુલ્હનની ખુશીઓ છીનવાઈ ગઈ. કોરોનાને કારણે દુલ્હાનું 2 દિવસ બાદ મોત થઈ ગયું હતું.
ઉત્તરપ્રદેશના બિજનોરની ઘટના
કોરોનાને કારણે દુલ્હાનું 2 દિવસ બાદ મોત થયું
જે દિવસે લગ્ન થયા ત્યારે સુહાગરાતે જ તાવ આવતા હોસ્પિટલમાં ભરતી કરાયો
ત્રીજા દિવસે ઈલાજ દરમ્યાન દુલ્હા અર્જુને હોસ્પિટલમાં દમ તોડી દીધો
જે દિવસે લગ્ન થયા ત્યારે સુહાગરાતે જ તાવ આવતા હોસ્પિટલમાં ભરતી કરાયો હતો અને ત્રીજા દિવસે ઈલાજ દરમ્યાન દુલ્હા અર્જુને હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
બિજનોર શહેરના જાટાન નિવાસી અર્જુનના લગ્ન 25 એપ્રિલે ચાંદપુર કસ્બા સ્યાઉ નિવાસી બબલી સાથે થઈ હતી. 25 તારીખે અર્જુનની જાન ધામધૂમથી સ્યાઉ ગઈ હતી અને સાંજે 7 વાગ્યે વિદાય થઈ હતી.
જાન ખુશી-ખુશી બિજનોર પહોંચી અને દુલ્હનનું સ્વાગત કરાયું. સુહાગરાતે જ દુલ્હા અર્જુનને અચાનક તાવ ચડ્યો અને વધતો જ ગયો.
તબિયત વધુ ખરાબ થવા પર દુલ્હા અર્જુનને તુરંત જિલ્લા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેની હાલતમાં કોઈ સુધાર આવ્યો નહીં અને હાલત બગડતી ગઈ.
પડોશીઓ અનુસાર હોસ્પિટલમાં ઑક્સિજનની અછતના પગલે 29 એપ્રિલના રોજ સવારે અર્જુનનું કોરોનાને કારણે મોત થઈ ગયું. મોતના સમાચાર મળતાં જ છોકરીના પક્ષ અને છોકરાના પક્ષમાં હડકંપ મચી ગયો અને દુઃખનો પહાડ તૂટી પડ્યો.