ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક ઘૃષ્ણેશ્વર મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદથી 11 કિમી દૂર એક શહેરની ભીડભાડવાળી જગ્યાએથી દૂર છે. માન્યતા છે કે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી દરેક પ્રકારના રોગ અને દુખ દૂર થાય છે. અહીં નિ:સંતાન દંપત્તિ દર્શન કરે તો સંતાન સુખ મળે છે.
આ જ્યોતિર્લિંગની વિશે ઘણા પ્રકારની કથાઓ પ્રચલિત છે. પૌરાણિક કથા અનુસાર દક્ષિણ દિશામાં સ્થિતિ દેવપર્વત પર સુઘર્મા નામના એક વિદ્ઘાન બ્રાહ્મણ પોતાની ધર્મપરાયણ સુંદર પત્ની સુદેહા સાથે રહેતો હતો. બંને ભગવાન શિવના પરમ ભક્ત છે. ઘણા વર્ષો પછી પણ તેમણે કોઇ સંતાન ના થયું જેથી સુદેહાએ તેના પતિને મનાવીને પોતાની બહેન ઘુષ્મા સાથે લગ્ન કરાવ્યા. નાની બહેન ઘુષ્મા પણ અનન્ય શિવભક્ત હતી શિવ કૃપાથી થોડા સમયમાં પુત્ર આવ્યો. લગ્ન પહેલા જ કોઇપણ સ્થિતિમાં બહેનથી ઇર્ષ્યા નહીં કરવાનું વચન આપનારી સુદેહા માટે હવે વધુ સમય ઇર્ષ્યા કર્યા વગર રહેવું શક્ય નહોતું. જેથી થોડા સમય પછી મોકો જોઇએ સુદેહાએ ઉંઘમાં સુતેલા ઘુષ્માની પુત્રની હત્યા કરી નાખી અને તેના મૃતદેહવને નજીકના તળામાં ફેંકી દીધો. સવાર થઇ તો ઘરમાં પુત્રની હત્યા અંગે જાણીને ઘરમાં કોહરામ ચમી ગયો. જોકે આ બધા વચ્ચે પણ ઘુષ્માએ શિવભક્તિ છોડી નહી અને દૈનિક નિયમ પ્રમાણ તળાવના કિનારે જઇને માટીમાંથી 1000 શિવલિંગ તૈયાર કરી પૂજા કરી પછી તેણે વિસર્જન કરી દીધા.
ઘુષ્માની ભક્તિ જોઇને શિવજી પ્રસન્ન થયા અને જેવી તે પૂજા કરીને ઊભી થઇ કે તેના મૃત પુત્રને જીવિત કરી શિવજી પ્રગટ થયા. ઘુષ્મા શિવ લીલાથી હર્ષ અને ભક્તિના ભાવાવેશમાં અર્ધ બેભાન જેવી થઇ ગઇ. પરંતુ તેના પુત્રને સોંપીને જ્યારે શિવ સુદેહાનો વધ કરવા ત્રિશુલ લઇને આગળ વધ્યા તો ઘુષ્માએ ભોળેનાથને હાથ જોડીને પોતાની બહેનના પ્રાણના રક્ષણ માટે વિનંતી કરી. આ સાથે તેણે ભગવાન શંકર પાસે વરદાન માંગ્યુ કે જો શિવ તેના પર પ્રસન્ન હોય તો અહીં જ નિવાસ કરે. ભગવાને આ માગણીનો સ્વીકાર કર્યો અને ઘુષ્ણેશ નામથી જ્યોતિર્લિંગ રૂપે સ્થાપિત થયા.
મંદિરોની દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે. પત્થરના 24 થાંભલા પર સુંદર નક્શીકામ સાથે મંદિરનો વિશાળ સભા ખંડ બનાવવામાં આવ્યો છે. મંદિરનું ગર્ભગૃહ 17*17નું છે. જેમાં પૂર્વાભિમુખ જ્યોતિર્લિંગ બિરાજમાન છે. સભા ખંડની તુલનાએ ગર્ભગૃહ થોડું નીચે છે અહીં અનેક જાતના ફૂલ ઝાડપાન પશુ અને માણસોની ભાવમુદ્રાની કોતરણી કરવામાં આવી છે.
ઘૃષ્ણેશ્વર મંદિરની વિશેષતા એ છે કે અહી પિતા શંકર પુત્ર ગણેશ પર બિરાજમાન છે. દેશમાં આવેલ 21 ગણેશ પીઠો પૈકી એક લક્ષવિનાયક નામથી પ્રસિદ્ઘ ગણેશ પીઠ પણ અહીં મંદિરમાં જ આવેલ છે પુરાતત્વ અને વાસ્તુકલાની દ્રષ્ટિએ આ મંદિરનું ખાસ મહત્વ છે. શ્રાવણ માસ અને અન્ય વાર તહેવારમાં મેળો લાગે છે આ સમયે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. મંદિર સવારે 5:30 વાગ્યાથી રાતે 9:30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. આ મંદિર ઔરગાબાદથી 35 કિમી દૂર છે જે મુંબઇથી 422 અને પૂનાથી 250 કિમી દૂર છે.