આસામના ગુવાહાટીના વ્યસ્ત ઝૂ રોડ વિસ્તારમાં આવેલ એક જાણીતી શોપિંગ મોલ બહાર ગ્રેનેડ હુમલાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. આ હુમલાને પગલે સ્થાનિક બે લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક જાણકારીમાં બહાર આવ્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 15, 2019
ગુવાહાટીના શોપિંગ મોલ બહાર અચાનક થયેલ ગ્રેનેડ હુમલાને પગલે આસપાસાના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી, આ ઘટનામાં છ લોકો ઇજીગ્રસ્ત થયાં છે. આ ઘચના અંગેની જાણ નજીક પોલીસ મથકે થતાં પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
Deepak Kumar, Commissioner of Police, Guwahati: A grenade blast took place at 8pm in which six people are injured, investigation is underway. https://t.co/OoYIR5b4EP
જો કે, આ ઘટનાને પગલે મોલની આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આપને જણાવી દઇએ કે, મોલ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ કરીને હુમલો કરનાર ફરાર થઇ ગયા છે. હાલ સ્થાનિક પોલીસે બચાવકાર્ય તથા તપાસ હાથ ધરી છે.