જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. હુમલામાં ઘણા નાગરિકોના ઈજાગ્રસ્ત થવાના સમાચાર. હોટલ પ્લાઝા પાસે થયેલા હુમલામાં ત્રણની હાલત અત્યંત ગંભીર
સોપોરમાં હોટલ પ્લાઝા પાસે થયો ગ્રેનેડ એટેક
હુમલામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા
બે ઈજાગ્રસ્તને શ્રીનગર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા
ત્રણની હાલત અત્યંત ગંભીર
જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો.આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવી ગ્રેનેડ ફેંક્યો. હુમલામાં એક મહિલા સહીત પંદર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ત્રણની હાલત અત્યંત ગંભીર છે.ઈજાગ્રસ્ત લોકોમાંથી બેને શ્રીનગરની હોસ્પીટલમાં ખસેડવામાં આવા છે.
CRPF જવાનોએ આખા વિસ્તારમાં કરી ઘેરાબંધી
સોપોરમાં સાંજે સવા ચાર વાગે હોટલ પ્લાઝા પાસે હુમલો થયો. જે બાદ CRPFના જવાનોએ સક્રોયતા દાખવી અને ઘટનાસ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા. આખા ઈલાકાની ઘેરાબંધી કરવામાં આવી છે.
J-K: Six people injured in grenade attack in Sopore
કાશ્મીર ઘાટીમાં આતંકીઓ ફરી સક્રિય, 26 ઓક્ટોબરે પણ થયો હતો ગ્રેનેડ એટેક
આપને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં આટલી કડક સુરક્ષા છતાં આતંકીઓ સક્રિય છે. દિવાળી સમયે આતંકીઓ દેશને હચમચાવવા માંગે છે ત્યારે દિવાળીના આગલા દિવસે શ્રીનગરમાં CRPFના જવાનો પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. શ્રીનગરના કરનનગરમાં CRPF જવાનોને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો.
આતંકીઓએ બે ડ્રાઈવરોની ગોળી મારી હત્યા કરી
ઉલ્લેખનીય છે કે 24 ઓક્ટોબરના રોજ શોપિયાંમાં આતંકવાદીઓએ બે ટ્રક ડ્રાઈવરોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ ટ્રકને આગના હવાલે કરી દીધી હતી. ટ્રક ડ્રાઈવરો ત્યાં સફરજન લેવા ગયા હતા. ભારે સુરક્ષા છતાં દક્ષિણ કાશ્મીરમાં દસ દિવસમાં ટ્રક ચાલકોને નિશાન બનાવ્યા હોય તેવી આ ત્રીજી ઘટના હતી.