ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા અભિવાદન સમારોહ, કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, મંત્રી પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા.
અભિવાદન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
સરકારી કામમાં મેં નુકશાન કર્યું હતું શરૂઆતમાં - CM
છેલ્લા બે વર્ષમાં ડીઝલ, ડામર, સ્ટીલ અને બાંધકામના અલગ અલગ માલસામાનમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો હતો તે બાબતે સરકાર દ્વારા અલગ અલગ વિભાગોના કામના ટેન્ડરોમાં રાહત અપાતા ખોરંભે પડેલા કામોને ફરીથી વેગ મળ્યો હતો. આ બાબતે સરકારનું અભિવાદન કરવા માટે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. મુખ્યમંત્રી દ્વારા કોન્ટ્રાકટરોને આડકતરી રીતે સરકારી કામોમાં ચોરી ન કરવા માટે પણ સૂચન કર્યું હતું.
કોન્ટ્રાક્ટર્સ પ્રામાણિકતાથી કામ કરે: CM ભૂપેન્દ્ર પટેલ
અભિવાદન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કોઈને પણ સાચી તકલીફ હોય તો તેમાંથી બહાર કાઢવાની જવાબદારી સરકારની છે પણ કોવિડ મહામારીમાં ભાવ વધારો થયો જેના કારણે બધાને મુશ્કેલી પડી, સરકારી કામોની છાપમાંથી કોન્ટ્રક્ટ્રરોએ બહાર આવવું જોઈએ અને બધા નક્કી કરે જે પણ કામ કરે તે પ્રામાણિકતાથી કરે. બધા નક્કી કરે જે પણ કામ કરે તે પ્રામાણિકતાથી કરે અને સાથે જ રમૂજી અંદાજમાં કહ્યું હતું કે સરકારી કામમાં મેં નુકશાન કર્યું હતું શરૂઆતમાં, આપણે ઇંચનો હિસાબ નહીં ફૂટનો માપ નહીં. આમ આગવા અંદાજમાં ટેન્ડરમાં કિંમત વધુ થાય પણ પ્રામાણિકતાથી કામ કરવા સૂચન કર્યું હતું.
તમે ટેન્ડર ભરવાનું પણ બંધ કર્યું હતું તે દબાવાની વાત હતી: સી આર પાટીલ
અભિવાદન સમોરાહમાં CR પાટીલે કહ્યું કે, ગુજરાત મા 5 હજાર કોન્ટ્રાકટર છે જે 10 લાખ લોકોને રોજગાર આપે છે. પાટીલે હળવા મૂડમાં કહ્યું કે ભોળા ભાળા મુખ્યમંત્રી છે અમારા.. મુખ્યમંત્રીએ માંગ્યા કરતા પણ વધુ કોન્ટ્રાક્ટરને આપ્યું. CR પાટીલે કોન્ટ્રાક્ટરોને ટોણો પણ માર્યો અને કહ્યું કે, તમે ટેન્ડર ભરવાનું પણ બંધ કર્યું હતું તે દબાવાની વાત હતી.
માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ શું રાખી અપેક્ષા?
રાજ્યમાં બિસ્માર રસ્તાઓની ભરમાર છે. ત્યારે મંત્રી પૂર્ણેશ મોદી સંબોધનમાં કહ્યું હતું કે ગુણવતા વાળા રસ્તા બનાવમાં આવે એવી આશા. કોન્ટ્રાક્ટરો આવનાર દિવસોમા કામમાં પ્રમાણિકતા રાખે, ગુજરાતના રસ્તાઓ સારા બને તેવી અપેક્ષા.