ઉનાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ એવી ઋતુ છે જેમાં મોટાભાગના ઘરમાં કયુ શાક બનાવવુ તેને લઇને સવાલો થતા હોય છે. જો તમે પણ આ ઋતુમાં લૂ તથા અન્ય બિમારીથી બચવા ઇચ્છો છો તો 6 પ્રકારની શાકભાજી ચોક્કસથી તમારા ડાયટમાં શામેલ કરો જેનાથી શું બનાવવું તેને લઇને સવાલ પણ ઉભા નહી થાય.
કોળું:
ગરમીમાં બિમારીઓનો ડર રહે છે એટલા માટે એવા શાકભાજીનું સેવન કરો જેમાં સારા પ્રમાણામાં પાણીની માત્રા હોય, જેને સેવનથી પેટ એકદમ સાફ થઇ જાય. કોળું પેટના કીડાઓને સાફ કરવામાં મદદ કરે છે. કોળામાં સારા માત્રામા પોટેશિયમ અને ફાઇબર મળી આવે છે, જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
ખીરા કાકડી:
ખીરા કાકડીમાં 96% જેટલી પાણીની માત્રા હોય છે, જેને ખાવાથી શરીર ઠંડુ રહે છે. ખીરામાંથી સારા પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર મળી આવે છે.
બીન્સ:
ગરમીઓમાં બીન્સ ખાવાથી શરીર કોએગેમા - 3 ફેટી એસિડ મળે છે, આ સાથે જ મોટાપ્રમાણમાં ફાઇબર હોય છે જે હૃદય રોગથી બચાવે છે.
કેપ્સિકમ:
લીલા રંગના શાકભાજીમાં સારા પ્રમાણમાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટથી ભરેલી હોય છે. જેને નિયમિત ખાઇને તમે હાર્ટ એટેક, અસ્થમા અને મોતિયાની સમસ્યાથી બચી શકો છો.
પાલક:
પાલકમાં આયરન સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક તથા વિટામિન A, B, C વગેરે સારી માત્રામાં મળી આવે છે. આ ગુણોના કારણે તેના જીવન રક્ષક ભોજન પણ કહેવાય છે.
દૂધી:
ગરમીમાં દૂધી ખાવાનું કોણ પસંદ નથી કરતુ? દૂધીના સેવનથી પેટના તમામ રોગો દૂર થઇ જાય છે સાથે એસિડિટી અને અપચાની સમસ્યા પણ દૂર થાય છે.