એવુ કહેવાય છે કે અતિની ગતિ ન હોય. ગુજરાતમાં અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતા કંઈક એવુ જ કહી શકાય. વરસાદ જયાં સુધી લોકોના હિતમાં હતો ત્યાં સુધી તો વાંધો નહતો, પરંતુ હવે જરૂરિયાત કરતા વધારે વરસાદ વરસી ગયો છે અને કપરી સ્થિતિ થઈ છે ખેડૂતોની. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સતત વરસાદથી હવે ખેતીના પાક પર તવાઈ આવી છે. સરકારનો દાવો છે કે 4 વિમા કંપનીઓ દ્વારા સર્વે ચાલુ છે હવે સવાલ એ છે કે એ સરકારી પ્રક્રિયા પૂરી કયારે થશે અને નુકસાની જો સાચા અર્થમાં થઈ હશે તો તેનું વળતર કયારે મળશે, આ જ વિષય પર છે આજની ચર્ચા પાકનો વેરી વરસાદ