નવી ગાઈડલાઈનમાં યૂપીના રાજેન્દ્ર તિવારીએ આદેશ આપ્યા છે કે મોટા ભૌગોલિક ક્ષેત્ર જેવા કે શહેર કે જિલ્લા કે આ પ્રકારના અન્ય સ્થાન જ્યાં આ કેસ વધારે છે ત્યાં લોકડાઉન લાગૂ રહેશે.
યૂપીમાં આજ રાતથી 3 દિવસનું લોકડાઉન
ગાઈડલાઈનમાં ફેરફાર સાથે આ છે નવા નિયમ
જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે બંધ
યૂપીની યોગી સરકારે વીકેન્ડ લોકડાઉનના સમયને એક દિવસ વધારીને 3 દિવસનો કર્યો છે. અહીં આજે રાતના 8 વાગ્યાથી 3 દિવસ સુધી એટલે કે મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. સરકારે આ માટે કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. યૂપીના રાજેન્દ્ર તિવારીનું કહેવું છે કે વાયરસ ઈન્ફેક્શન માનવીય સંપર્કના માધ્યમથી ફેલાય છે અને તેને રોકવા માટે વાયરસના પ્રસારને પ્રતિબંધિત કરવાનું સામેલ છે. તેઓએ કહ્યું કે પંચાયતી રાજ, સમસ્ત મંડલાયુક્ત, અપર પોલિસ મહાનિરીક્ષક, પોલિસ ઉપ મહાનિરિક્ષકની રેન્જ, લખનઉ પોલીસ,ગૌતમ બુદ્ધ નગર, કાનપુર અને વારાણસી, જિલ્લા અધિકારીઓ, પોલીસને કડકાઈના સાથે નિયમ પાલનના આદેશ અપાયા છે.
આખું શહેર બની શકે છે કન્ટેનમેન્ટ ઝોન
મુખ્ય સચિવે કહ્યું કે એવા સ્થાન જ્યાં એક સમૂહના રૂપમાં કેસ આવે છે અને જ્યાં વ્યક્તિગત કે પારિવારિક રીતે તેમની મદદ કરી શકાતી નથી. એવા કેસમાં એક નિશ્ચિત સીમા અને ખાસ કડક નિયંત્રણ સહિત કન્ટેનમેન્ટ ઝોન બને છે. આ પ્રકારના સ્થાન જ્યાં કેસ વધી રહ્યા છે તેને ભૌતિક રીતે કન્ટેન કરાશે અને સાથે સાર્વજનિક પરિવહનના સંચાલનની પરમિશન મળશે. વિશિષ્ટ ક્ષેત્ર જ્યાં ખાસ કાર્યવાહી તથા સ્થાનિક નિયંત્રણને લાગૂ કરવાનું જરૂરી છે ત્યાં પણ નિયમોનું પાલન કરાવાશે.
આ સેવાઓ રહેશે બંધ
રાતના કર્ફ્યૂ સમયે વ્યક્તિઓની અવરજવરને અને સાથે જરૂરી ક્રિયાઓને લઈને પગલા લેવાશે. સામાજિક, રાજકીય, રમત ગમત, મનોરંજન, એકેડમી, સાંસ્કૃતિક, ધાર્મિક ઉત્સવ સંબંધિત કાર્યક્રમોને અને ભીડ તથા સભાઓને પ્રતિબંધિત રખાશે. તમામ શોપિંગ કોમ્પેલેક્સ, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને બાર, રમત કોમ્પલેક્સ, જિમ, સ્પા, સ્વીમિંગ પુલ અને ધાર્મિક સ્થાનોને બંધ કરાશે.
શું રહેશે ચાલુ
આવશ્યક સેવાઓ અને ગતિ વિધિઓ જેમકે સ્વાસ્થ્ય સેવા,પોલીસ, અગ્નિશામક, બેંક, વીજળી અને પાણીની સુવિધાઓ, સામાન્ય પરિવહનનું સંચાલન ચાલુ રહેશે. આ પ્રકારની સેવાઓ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં કાયમ રહેશે. રેલ્વે, મેટ્રો, બસ, કેબ્સને 50 ટકા હાજરી સાથે ચલાવી શકાશે. આવશ્યક ચીજની સાથે પરિવહનની સાથે અન્તરાજ્યમાં પણ સંચાલનને લઈને કોઈ પ્રતિબંધ રહેશે નહીં. તમામ ઓફિસ પછી ખાનગી કે સરકારી હશે તે 50 ટકા કર્મચારીઓ સાથે ચાલુ રહેશે. તેમના રેપિડ ટેસ્ટ સમયાંતર થતા રહેશે.
લગ્નમાં 50 લોકો તો અંતિમ સંસ્કારમાં 20 લોકો રહી શકશે હાજર
લગ્નના સમારોહમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોની હાજરીને અનુમતિ અપાઈ છે.