દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં હાથરસ કાંડથી દુઃખીને વાલ્મિકી સમાજના 50 પરિવારોના 236 લોકોએ ધર્મ પરિવર્તન કરી બુધ્ધ ધર્મ અપનાવી લેવાના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. ધર્માંતરણની અફવા ફેલાવવાને લઈને એફઆઈઆર નોંધવામાં આવી છે .
ગાઝિયાબાદના સાહિબાબાદમાં પપ્પુ કોલોનીમાં રહેનારા મોન્ટુ ચંદેલ વાલ્મિકીના ફરિયાદ પર પોલીસે અજ્ઞાત લોકો અને સંગઠનોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ધર્માંતરણની જૂઠી અફવાહ ફેલાવીને સમાજમાં વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સાદા કાગળ અને અધૂરા કાગળના આધારે ધર્માંતરણની અફવા ફેલાવાઈ છે. લોકોને ફોર્મ આપનારાઓએ જણાવ્યું કે આ લાભકારી યોજનાઓનું ફોર્મ છે. બાદમાં આને ધર્માંતરણનું ફોમ ગણાવી અફવા ફેલાયી હતી.
મોન્ટુ ચંદેલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર 21 ઓક્ટોબરે સાહિબાબાદ થાના વિસ્તારના અંતર્ગત ગ્રામ કરહેડામાં કેટલાક અજાણ્યા લોકો અને સંગઠનો દ્વારા 230 લોકોને ધર્માંતરણની ખોટી અફવા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે સંકળાયેલા પ્રમાણ પત્રમાં કોઈનું નામ કે સરનામુ નથી. તેમજ પ્રમાણપત્ર રજુ કરવાની તારીખ પણ નથી. કોઈ રજિસ્ટર નંબર નથી. આમાં કોઈનું પણ નામ લખી શકાય છે. આ ગુનાહિત કૃત્ય હેઠળ જાતીય હિંસા તથા લોકોમાં વિદ્રેષ ભડકાવવાનો પ્રયાસ છે. મોન્ટુએ આવા લોકો સામે પગલા ભરવાની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો
દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં હાથરસ કાંડથી દુઃખીને વાલ્મિકી સમાજના 50 પરિવારોના 236 લોકોએ ધર્મ પરિવર્તન કરી બુધ્ધ ધર્મ અપનાવી લીધો છે. આ મામલો ગાઝિયાબાદ કરહેડા વિસ્તારનો છે. ગત 14 ઓક્ટોબરે આ વિસ્તારમાં રહેનારા વાલ્મિકી સમાજના 236 લોકો ભેગા થયા અને બાબા સાહેબ આંબેડકરના પરપૌત્રની હાજરીમાં બૌધ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.
ધર્મ પરિવર્તન કરનારા બીર સિંહે જણાવ્યું હતું કે તેમના ગામના 50 પરિવારોના 236 લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થયો છે. તેમણે કહ્યું કે આ માટે કોઈ ફી લેવામાં આવી નથી. બસ આ ધર્મ અપનાવ્યા બાદ સમાજ સેવા જેવા સારા કામ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સમાચાર થોડા દિવસ પહેલા વહેલા થયા હતા જેને પગલે આજે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.