નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે ઈન્ડીયન ઈકોનોમીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારનો આશાવાદ
કહ્યું ભારત આર્થિક રિકવરીના માર્ગે
સરકારી નીતિઓને કારણે મજબૂત પાયો નખાઈ રહ્યો છે
કોરોના મહામારી પૂર્ણ થવાને આરે છે ત્યારે કેન્દ્ર સરકાર માટે ઈકોનોમીના મોરચે મોટી રાહતની ખબર છે. ભારતીય અર્થતંત્રમાં મોટો સુધારો થઈ રહ્યો હોવાનું નીતિ આયોગે જણાવ્યું છે. વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે પણ ઈન્ડીયન ઈકોનોમી સુધારાને માર્ગે છે તેવું નીતિ આયોગના ટોચના અધિકારીએ જણાવ્યું છે.
India will remain fastest growing economy despite impact of Russia-Ukraine war: Rajiv Kumar to PTI
સરકારી નીતિઓને કારણે મજબૂત ઈકોનોમીનો પાયો નખાઈ રહ્યો છે
નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે ભારત ઝડપથી આર્થિક રિકવરીના માર્ગે આગળ વધી રહ્યું છે તેમણે કહ્યું કે સરકારી નીતિઓને કારણે મજબૂત ઈકોનોમીનો પાયો નખાઈ રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધની અસર હોવા છતાં પણ ભારત ઝડપથી વિકસીત થઈ રહેલી ઈકોનોમી બન્યું છે.
India on cusp of major economic recovery; strong foundation being laid with government's reforms: Niti Aayog Vice Chairman Rajiv Kumar
ભારતમાં ફરી મહામંદી આવશે તે ચર્ચા નિરર્થક
તેમણે કહ્યું કે આરબીઆઈનો મોંઘવારી પર સારી રીતે કાબુ છે.ભારતમાં ફરી મહામંદી આવશે તે ચર્ચા નિરર્થક છે. તેમણે ઈન્ડીયન ઈકોનોમી અંગે સારો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
ભારત વર્લ્ડમાં સૌથી ઝડપી વિકસીત થતી ઈકોનોમી બની રહેશે
ડોક્ટર રાજીવ કુમારે એવું પણ કહ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે પેદા થયેલી અનિશ્ચિતતા છતાં પણ તમામ રીતે સાબિત થયું છે કે ભારત વર્લ્ડમાં સૌથી ઝડપી વિકસીત થતી ઈકોનોમી બની રહેશે.
અમે કોરોના મહામારીનો અંત જોઈ રહ્યાં છીએ
છેલ્લા સાત વર્ષમાં અમે કરેલા તમામ સુધારાઓને જોતાં, અને અમે આશાપૂર્વક કોવિડ-19 રોગચાળાનો અંત જોઈ રહ્યા છીએ, અને આ વર્ષે (2022-23) જે 7.8 ટકા વૃદ્ધિ દર મેળવીશું તે જોતાં, આગામી વર્ષોમાં આર્થિક વૃદ્ધિમાં વધુ ઝડપી વૃદ્ધિ માટે હવે ખૂબ જ મજબૂત પાયો નાખવામાં આવી રહ્યો છે," કુમારે પીટીઆઈને એક મુલાકાતમાં જણાવ્યું હતું.