પબ્લિક પોલિસી, હેલ્થ એક્સપર્ટ ડોક્ટર ચંદ્રકાંત લહારિયાએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને જરા પણ અસર નહીં થાય.
હેલ્થ એક્સપર્ટ ડોક્ટર ચંદ્રકાંત લહારિયાનો દાવો
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને જરા પણ અસર નહીં થાય.
બન્ને લહેરમાં ફક્ત 2-5 ટકા બાળકો હોસ્પિટલમાં દાખલ હતા
ડો.લહારીયાએ જણાવ્યું કે કોરોના મહામારીથી અત્યાર સુધી નેશનલ-ઈન્ટરનેશનલ સ્તરના આંકડા મળ્યાં છે તેમાં બાળકોને કોઈ અસર પહોંચી હોય તેવું જણાયું નથી. તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાની બન્ને લહેર દરમિયાન ફક્ત 2-5 ટકા જ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યાં હતા. બાળલકોની તુલનામાં મોટા અને વયસ્કોમાં ગંભીર બીમારી અને મોતનું જોખમ વધારે હોય છે. ત્રીજી કોઈ ભવિષ્યની કોઈ લહેર બાળકોને અસર પહોંચાડશે તે વાતના કોઈ પુરાવા ક્યાંયથી પણ મળ્યાં નથી.
કોરાનાએ રુપ બદલ્યું પણ ગંભીર બીમારી પેદા કરવાની ક્ષમતા બદલી નથી
તેમણે કહ્યું કે કોરાનાએ અનેક વાર રુપ બદલ્યું છે પરંતુ કોઈ પણ ઉંમરના લોકોમાં ગંભીર બીમારી પેદા કરવાની ક્ષમતા બદલી નથી.
એપ્રિલ-મે 2021 માં મહારાષ્ટ્રમાં લગભપગ 29 લાખ કોરોનાના કેસો નોંધાયા હતા તેથી 0-10 વર્ષની વય જૂથમાં 99,000 નવા કેસોના 3.5 ટકા છે જ્યારે આ વયજૂથ વસતીના લગભફગ 24 ટકા છે. તો બીજી લહેરમાં ભારતમાં કોરોનાના દૈનિક કેસો પહેલી લહેરની તુલનામાં લગભગ ચાર ગણા વધારે હતા. તેથી 0-10 વયજુથમાં 3.3 ટકા વધારો થયો હતો.
બાળકોની તબિયત અંગે ચિંતિત થવાની જરુર નથી- ડો.લહારીયા
અહમદનગરમાં 0-18 વર્ષની વયજૂથમાં કોરોનાના કેસો તે મહિનામા નોંધાયેલા કુલ 80,000 કેસોના 10 ટકા હતા. ડો.લહારીયાએ કહ્યું કે એવું પણ જોવામાં આવ્યું છે કે વયસ્કોની તુલનામાં બાળલકોમાં અપેક્ષાકૃત ઓછા વિકસીત રિસેપ્ટર્સ છે આનાથી સ્પસ્ટ છે કે સંક્રમણ પછી પણ બાળકોમાં ગંબીર બીમારી વિકસીત થતી નથી. તેથી વાલીઓએ એ સમજવું પડશે કે કોરોનાની કોઈ પણ લહેર ચાઈલ્ડ વેવ નહીં બને. બાળકોની તબિયત અંગે ચિંતિત થવાની જરુર નથી.